વડાપ્રધાન મોદીની ડિગ્રી મામલે કેજરીવાલ અને સંજય સિંહની મુશ્કેલી વધી, 13 જુલાઇ હાજર રહેવા કોર્ટનું સમન્સ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે માનહાનિ કેસના આરોપી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના રાજ્ય સભાના સાંસદ સંજય સિંહને અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર રહેવા માટે કોર્ટે સમન્સ પાઠવ્યું છે.
અમદાવાદ મેટ્રો કોર્ટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને સાંસદ સંજય સિંહને 7 જૂનના રોજ કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલે બંને નેતાઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 500 હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

બુધવારના રોજ એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટ જયેશ ચોવટિયાની કોર્ટમાં બંને પક્ષના વકીલોએ હાજર રહી પોતાનો પક્ષ રાખ્યો હતો. જ્યારે AAP નેતાઓના વકીલે હાજરીમાંથી મુક્તિ માટે અરજી દાખલ કરી હતી, ત્યારે યુનિવર્સિટીના વકીલ અમિત નાયરે માંગ કરી હતી કે, બંને આરોપીઓ સામેનો કેસ ઝડપી કરવામાં આવે.
કેજરીવાલ અને સંજય સિંહે વડાપ્રધાનની ડિગ્રીને નકલી કહીને તેમની વિરુદ્ધ અપમાનજનક નિવેદનો કર્યા હતા. AAP નેતાના વકીલને સાંભળ્યા પછી, બંનેને 13 જુલાઈએ હાજર થવા માટે સમન્સ જાહેર કરવામાં આવ્યું હતું. આ પહેલા પણ કોર્ટે આ બંને નેતાઓ સામે બે વખત સમન્સ જાહેર કર્યા છે, પરંતુ તેઓ હાજર થયા નથી.
કેજરીવાલે જણાવ્યું હતું કે, જો વડાપ્રધાન મોદીની ડિગ્રી અસલી છે, તો તેને કેમ બતાવવામાં નથી આવી રહી? તેઓએ જણાવ્યું હતું કે, તેઓ ડિગ્રી આપતા નથી. કારણ કે, તે નકલી હોઈ શકે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, જો PM પાસે ડિગ્રી છે અને તેમણે દિલ્હી અને ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે, તો ગુજરાત યુનિવર્સિટીએ ઉજવણી કરવી જોઈએ કે, તેમનો વિદ્યાર્થી દેશના વડાપ્રધાન બન્યા છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
