અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં ભીષણ આગ, 8 લોકોના મોત
ગુજરાતના અમદાવાદ સ્થિત હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે.
ગુજરાતના અમદાવાદ સ્થિત હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. માહિતી અનુસાર શ્રેય હોસ્પિટલમાં આગ લાગી છે. આ દૂર્ઘટનામાં 8 લોકોના માર્યા જવાના સમાચાર છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર હાજર છે અને આગ પર કાબુ મેળવવાની કોશિશ કરી રહ્યા છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે આગ કયા કારણોસર લાગી છે. આ દૂર્ઘટના બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ આપી દીધા છે. આ દૂર્ઘટનાની તપાસ ગૃહ વિભાગના અધિક સેક્રેટરી સંગીતા સિંહની આગેવાનીમાં થશે. મુખ્યમંત્રીએ ત્રણ દિવસની અંદર તપાસનો રિપોર્ટ આપવા કહ્યુ છે.

શ્રેય હોસ્પિટલ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી છે. અહીં મોડી રાતે 3 વાગે આ આગ લાગી હતી. ઘટના બાદ સ્થળ પર ફાયર બ્રિગેડની 8 ગાડીઓ પહોંચી ગઈ, 10 એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ. જે સમયે આ દૂર્ઘટના બની એ વખતે 50 બેડવાળી હોસ્પિટલમાં 45 દર્દીઓ ભરતી હતા. ઘટના બાદ બધા દર્દીઓને સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચમાં ભરતી કરવામાં આવ્યા છે. ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ છે.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને લખ્યુ કે અમદાવાદ હોસ્પિટલમાં થયેલ દૂર્ઘટનાથી દુઃખી છુ. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદનાઓ છે. પ્રાર્થના કરુ છુ કે ઘાયલો જલ્દી સાજા થઈ જાય. મે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મેયર સાથે વાત કરી છે અને સ્થિતિની માહિતી લીધી. પ્રશાસન અહીં સંભવ દરેક લોકોની મદદ કરી રહ્યુ છે. સૂત્રો અનુસાર આ દૂર્ઘટના શૉર્ટ સર્કિટ થવાથી થઈ છે. જે 8 લોકોના મૃત્યુ થયા છે તેમના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
Saddened by the tragic hospital fire in Ahmedabad. Condolences to the bereaved families. May the injured recover soon. Spoke to CM @vijayrupanibjp Ji and Mayor @ibijalpatel Ji regarding the situation. Administration is providing all possible assistance to the affected.
— Narendra Modi (@narendramodi) August 6, 2020
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ










Click it and Unblock the Notifications
