For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદઃ વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસે લાગી ભીષણ આગ, અનેેક ઝૂંપડાઓ બળીને ખાખ

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલ વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસે આગ લાગી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ હાલમાં જ મળતા સમાચાર મુજબ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલ વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસે આગ લાગી ગઈ છે. માહિતી મુજબ રેલેવે ક્રોસિંગ પાસે રહેલ ઝૂંપડાઓમાં આગ લાગવામાં આવી છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયુ નથી. ફાયરબ્રિગેડની 6 ટીમો ઘટના સ્થળે પહોંચીને આગને ઓલવવાની કોશિશ કરી રહી છે. આગના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

fire

અમદાવાદ શહેરમાં આવેલ આનંદનગર વિસ્તારમાં આવેલ રેડિયોમિર્ચી ટાવર સામે આવેલ ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી ગઈ છે. 10થી 12 ઝૂંપડાઓમાં આગ લાગતા ફાયરબ્રિગેડની 6થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવવાના પ્રયત્ન કરી રહી છે.ઝૂંપડપટ્ટીના આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે. પોલિસ દ્વારા લોકોને ખસેડવામાં આવી રહ્યા છે.

ઝૂંપડાઓની આસપાસ મકાનો આવેલા હોવાથી આગ કાબુ કરવા માટે ફાયરબ્રિગેડને મુશ્કેલી પડી રહી છે. ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા છે. જ્યારે આસપાસના ઘરોમાંથી લોકો પોતાના ઘરનો સામાન, ગેસના બાટલ કાઢી રહ્યા છે. પોલિસ અને એમ્બ્યુલન્સ પણ હાલમાં ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

English summary
Fire near Vastrapur railway crossing in Ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X