ગુજરાત પોલીસે લીધો હાથસર દુર્ઘટનામાંથી બોધ, ભગવાન જગન્નાથ રથ યાત્રામાં 22 હજાર જવાનો રહેશે તૈનાત
Jagannath Rath Yatra 2024: ભગવાન જગન્નાથની વાર્ષિક રથયાત્રાની 147મી આવૃત્તિ 7 જુલાઈના રોજ અમદાવાદમાં યોજાવા જઈ રહી છે. રથયાત્રામાં લાખો ભક્તો ભાગ લે તેવી અપેક્ષા છે. તેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે પણ પોતાનો બંદોબસ્ત ચુસ્ત બનાવ્યો છે.
માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, રથયાત્રાની સુરક્ષા માટે 22,000 થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવશે. અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે રથયાત્રા સંદર્ભે 600 જેટલા પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશના હાથરસમાં તાજેતરની નાસભાગને ધ્યાનમાં રાખીને ભીડને નિયંત્રિત કરવા માટે વધારાની સાવચેતી રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાથરસમાં થયેલી ભાગદોડમાં 121 લોકોના મોત થયા છે.

કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસની તૈયારીઓ - રથયાત્રા દરમિયાન કોઈપણ અપ્રિય ઘટનાને રોકવા માટે, પોલીસ ડેટાબેઝ સાથે ભીડમાં રહેલા લોકોના ચહેરાને મેચ કરીને ગુનેગારોને ઓળખવા માટે ફેસ ડિટેક્શન કેમેરાનો ઉપયોગ કરશે.
20 ડ્રોન અને બલૂન માઉન્ટેડ કેમેરા તૈનાત કરવામાં આવશે - આ ઉપરાંત અમદાવાદ પોલીસ લોકોની અવરજવર પર નજર રાખવા માટે 20 ડ્રોન અને કેટલાક બલૂન લગાવવામાં આવેલા કેમેરા પણ તૈનાત કરશે.
BSF અને રેપિડ એક્શન ફોર્સ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPFs)ની કંપનીઓ અને સ્ટેટ રિઝર્વ પોલીસની 35 કંપનીઓ પણ 16 કિલોમીટર લાંબા યાત્રા રૂટ પર અને મુખ્ય સ્થળો પર તૈનાત કરવામાં આવશે.
રથયાત્રાના રૂટ પર 22 હજારથી વધુ સુરક્ષા જવાનો તૈનાત રહેશે - પોલીસ કમિશનર મલિકે જણાવ્યું હતું કે, 7 જુલાઈએ રથયાત્રાના રૂટ અને અન્ય મહત્વના સ્થળો પર 22,000 થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. જેમાં 12,000 નિયમિત પોલીસ દળો, 6,000 હોમગાર્ડ્સ, CAPFની 11 કંપનીઓ અને SRPની 35 કંપનીઓનો સમાવેશ થાય છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, આમાંથી 4,500 સૈનિકો સમગ્ર રૂટ પર શોભાયાત્રાની સાથે રહેશે, જ્યારે 1,931 સૈનિકો ટ્રાફિક વ્યવસ્થાપન માટે તૈનાત રહેશે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ









Click it and Unblock the Notifications
