ગુજરાત યુનિવર્સીટીએ UDPGની બેઠકમાં કર્યો વધારો, માસ પ્રમોશનવાળા વિદ્યાર્થીઓને અપાશે એડમિશન
કોરોના મહામારીને કારણે લોકોના જીવન પર ભારે અસર પડી છે. હવે દેશમાં કોરોનાના મામલાઓ ઘટી રહ્યાં હોવાથી જનજીવસ નોર્મલ થઇ રહ્યું છે. આ સાથે શૈક્ષણિક ક્ષેત્રમાં પણ આની માઠી અસર જોવા મળી છે. ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને
કોરોના મહામારીને કારણે લોકોના જીવન પર ભારે અસર પડી છે. હવે દેશમાં કોરોનાના મામલાઓ ઘટી રહ્યાં હોવાથી જનજીવસ નોર્મલ થઇ રહ્યું છે. આ સાથે શૈક્ષણિક ક્ષેત્રમાં પણ આની માઠી અસર જોવા મળી છે. ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. હવે અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીએ પણ મહત્વનો નિર્ણય લઇ લીધો છે. યુનિવર્સિટીએ UDPGની બેઠકોમાં વધારો કર્યો છે.

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીએ બેઠકોમાં વધારો કરી માસ પ્રમોશનથી આવતા વિદ્યાર્થીઓને એડમિશન સરળતાથી મળી રહે તે માટે આ નિર્ણય લીધો છે. ગુજરાત યુનિવર્સિટીએ યુડીપીજી બેઠકોમાં 25 ટકા જેટલો વધારો કરીને વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસની તક પુરી પાડી છે. આ સમચાર સાથે વિદ્યાર્થી અને વાલીઓમાં ખુશીની લહેર પ્રસરી હતી. યુનિવર્સિટીનો આ નિર્ણય લોકો દ્વારા આવકારવામાં આવી રહ્યો છે.












Click it and Unblock the Notifications
