Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અમદાવાદના પાલડીમાં અશાંત ધારાના ઉલ્લંઘન કરનારા 9 બંગલાના દસ્તાવેજ રદ કરાયા

અમદાવાદના પાલડી વિસ્તારમાં અશાંત ધારાના ઉલ્લંઘન મામલે કલેક્ટર દ્વારા એક અત્યંત મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ કાર્યવાહી અંતર્ગત પાલડીની નૂતન સર્વોદય કોપરેટીવ હાઉસિંગ સોસાયટીના કુલ 9 જેટલા આલિશાન બંગલાઓ પર ડિમોલિશન હાથ ધરાયું છે.

ડેપ્યુટી સિટી કલેક્ટરની કોર્ટે આ બંગલાઓના વેચાણ દસ્તાવેજોને રદબાતલ જાહેર કરી મિલકતો મૂળ માલિકોને પરત કરવાનો હુકમ કર્યો છે.

ઉત્તરાયણની રજાઓ પૂર્ણ થતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા આ મેગા ડિમોલિશનની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરાઈ હતી. અશાંત ધારા (Disturbed Areas Act) ના નિયમોનો ભંગ કરીને થયેલા આ સોદાઓ સામે લાંબા સમયથી કાયદેસરની તપાસ ચાલી રહી હતી.

કોર્ટે આ મામલે કડક વલણ અપનાવીને જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરવા માટે પણ મામલતદારને સ્પષ્ટ આદેશો આપી દીધા છે.

સ્થાનિક ધારાસભ્ય અમિત શાહ દ્વારા આ મામલે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી જેનું હવે પરિણામ આવ્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X