ઈન્ડિગો શરૂ કરશે અમદાવાદ-તિરુવનંતપુરમ માટે ડાયરેક્ટ ફ્લાઈટ
Ahmedabad to Thiruvananthapuram flight: દેશની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઈન ઈન્ડિગો આગામી દિવસોમાં ગુજરાતની આર્થિક પાટનગર અમદાવાદ અને કેરળના પાટનગર તિરુવનંતપુરમને જોડતી ડાયરેક્ટ ફ્લાઈટ્સ શરૂ કરે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, એરલાઇન અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPI) અને તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે અઠવાડિયાના ચાર દિવસે ડાયરેક્ટ ફ્લાઇટનું સંચાલન કરશે.

સમય અને સત્તાવાર વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ ફ્લાઇટ 1 ડિસેમ્બર, 2024 થી સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે ઓપરેટ થાય તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, હાલ અમદાવાદથી તિરુવનંતપુરમ જવા માટે કનેક્ટિંગ ફ્લાઈટ છે. જે વાયા મુંબઈ અથવા બેંગ્લોર થઈને જાય છે. જે માટે મુસાફરે 7616 રૂપિયા ચૂંકવવા પડે છે. આ ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થવાના કારણે મુસાફરો ભાડામાં ઘટાડો થાય તેવી આશા રાખી રહ્યા છે.












Click it and Unblock the Notifications
