કિશન ભરવાડ હત્યા કેસઃ મૌલવીની ધરપકડ બાદ ચોંકાવનારો ખુલાસો, ATS અને ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાયા
કિશન ભરવાડની હત્યા કેસમાં પોલિસે મુખ્ય સૂત્રધાર મૌલાનાની પણ ધરપકડ કરી છે. ધરપકડ બાદ મોટો ખુલાસો થયો છે
અમદાવાદઃ ધંધુકામાં ફાયરિંગ કરી માલધારી સમાજના યુવક કિશન ભરવાડની હત્યા કેસમાં પોલિસે મુખ્ય સૂત્રધાર મૌલાનાની પણ ધરપકડ કરી છે. ધરપકડ બાદ મોટો ખુલાસો થયો છે. પૂછપરછ દરમિયાન મૌલાનાનુ કનેક્શન ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલુ હોવાની બાબત સામે આવી છે. મૌલાના સોશિયલ મીડિયાથી યુવકોને પ્રેરિત કરતો હતો.

મૌલાના કટ્ટરવાદી ભાષણ આપીને યુવકોને ભડકાવતો હતો. જેના માટે પોલિસે કટ્ટરવાદી સંગઠન અંગે તપાસ શરુ કરી છે. બીજી બાજુ હત્યા કેસની તપાસમાં અમદાવાદ ગ્રામ્ય પોલિસ અને ગુજરાત એટીએસ પણ જોડાઈ છે. આ કેસમાં અમદાવાદ અને મુંબઈના મૌલવી નામ સામે આવતા બંને તપાસ એજન્સીએ તપાસ તેજ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદના ધંધુકામાં સોશિયલ મીડિયામાં વિવાદિત ધાર્મિક પોસ્ટના કારણે વિવાદ સર્જાયો હતો. જેના પગલે આરોપીઓ કિશનને સબક શીખવવા માગંતા હતા. જેથી તેમણે કિશનની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. મોકો મળતા જ શબ્બીર અને ઈમ્તિયાઝ બાઈક પર ઘટના સ્થળે પહોંચ્યા. ઈમ્તિયાઝ બાઈક ચલાવતો હતો અને શબ્બીરે ફાયરિંગ કર્યુ હતુ. અમદાવાદ જમાલપુરના મૌલવી અને દિલ્લીના મૌલવી શાહઆલમમાં મળી ચૂક્યા છે. જેમાં શબ્બીર પણ હાજર હતો. હત્યાના 5-6 દિવસ પહેલા શબ્બીર અમદાવાદમાં ગયો હતો અને મૌલવીને મળીને ફેસબુક પોસ્ટની વાત કરી હતી. કિશનની સબક શીખવવાની વાત કહી હથિયાર માંગ્યુ હતુ. મૌલવીએ હથિયાર આપ્યુ હતુ.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
