Lok Adalats in Gujarat: 22 જૂને યોજાશે લોક અદાલતો, સાડા ત્રણ લાખ કેસનું થશે નિરાકરણ
Lok Adalats in Gujarat: ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી (GSLSA) ની આગેવાની હેઠળ સમગ્ર રાજ્યની અદાલતોમાં 22 જૂનના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાવાની છે.
GSLSA લોક અદાલત દરમિયાન પતાવટ માટે 3.5 લાખ કેસ મૂકવા માંગે છે.
GSLSA ના આશ્રયદાતા, મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે આ સંદર્ભે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને સત્તાવાળાઓએ મોટર વાહન અકસ્માત વળતરના પ્રશ્નો, સિવિલ વિવાદો, ચેક રિટર્નના કેસ, જમીન સંપાદન, મજૂર વિવાદો અને ગુનાઓ કે જે કમ્પાઉન્ડેબલ છે તે સંબંધિત કેસોનું નિરાકરણ કરીને લોક અદાલતનો લાભ લેવા માટે અરજદારોને અપીલ કરી છે.

અરજદારોને માર્ગદર્શન માટે નજીકની કાનૂની સહાય સેવા કચેરીનો સંપર્ક કરવા અથવા ટોલ-ફ્રી નંબર 15100 પર કોલ કરવાની સલાહ આપવામાં આવી છે.
અત્રે નોંધનીય બાબત છે કે, છેલ્લા બે વર્ષમાં લોક અદાલતોમાં લગભગ 20 લાખ કેસોનું સમાધાન કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
