Navratri 2025 : નવરાત્રિ દરમિયાન અમદાવાદ મેટ્રો મોડે સુધી ચાલશે, જાણો ટાઈમિંગ

Navratri 2025 : ગરબાના શોખીનો અને નવરાત્રિની ઉજવણી કરતા લોકો માટે એક સારા સમાચાર છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ આગામી નવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખીને મેટ્રો ટ્રેન સેવાના સમયમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

સામાન્ય રીતે રાત્રે 10:00 વાગ્યા સુધી ચાલતી મેટ્રો ટ્રેન હવે મોડી રાત સુધી દોડશે, જેથી લોકો સરળતાથી ગરબાના સ્થળો પર પહોંચી શકે અને પરત ફરી શકે.

Navratri 2025

આ સુવિધા 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર, 2025 સુધી ઉપલબ્ધ રહેશે. આ સમયગાળા દરમિયાન અમદાવાદ મેટ્રો ટ્રેન રાત્રે 2:00 વાગ્યા સુધી ચાલુ રહેશે. અમદાવાદમાં, થલતેજ ગામ, વસ્ત્રાલ ગામ, કોટેશ્વર રોડ અને APMC જેવા ટર્મિનલ સ્ટેશનો પરથી છેલ્લી ટ્રેન રાત્રે 2:00 વાગ્યે ઉપડશે.

ગાંધીનગરના મુસાફરો માટે પણ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 સુધીની છેલ્લી ટ્રેન રાત્રે 2:00 વાગ્યે ઉપડશે, જ્યારે સેક્ટર-1 થી મોટેરા સ્ટેડિયમ માટેની છેલ્લી ટ્રેન રાત્રે 1:00 વાગ્યે ઉપડશે.

નવરાત્રિના આ ખાસ સમયગાળા દરમિયાન મુસાફરી કરવા માટે રૂપિયા 50 ની કિંમતની ખાસ પેપર ટિકિટ ઉપલબ્ધ રહેશે. આ ટિકિટ તમામ મેટ્રો સ્ટેશનો પરથી ખરીદી શકાશે અને તે એક જ મુસાફરી માટે માન્ય રહેશે. આ સ્પેશિયલ ટિકિટની મદદથી લોકો મુશ્કેલી વિના મોડી રાત્રે પણ મેટ્રો સેવાનો લાભ લઈ શકશે.

GMRC નો આ નિર્ણય ગરબાના આયોજનો અને નવરાત્રિની ઉજવણીમાં ભાગ લેતા હજારો લોકોને ખૂબ મદદરૂપ થશે. મેટ્રોની આ વધારાની સુવિધાથી રાત્રે મુસાફરી કરવી વધુ સુરક્ષિત અને સરળ બનશે, જેનાથી લોકો તહેવારનો સંપૂર્ણ આનંદ માણી શકશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X