Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Navratri 2025 : નવરાત્રિ દરમિયાન અમદાવાદ મેટ્રો મોડે સુધી ચાલશે, જાણો ટાઈમિંગ

Navratri 2025 : ગરબાના શોખીનો અને નવરાત્રિની ઉજવણી કરતા લોકો માટે એક સારા સમાચાર છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ આગામી નવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખીને મેટ્રો ટ્રેન સેવાના સમયમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

સામાન્ય રીતે રાત્રે 10:00 વાગ્યા સુધી ચાલતી મેટ્રો ટ્રેન હવે મોડી રાત સુધી દોડશે, જેથી લોકો સરળતાથી ગરબાના સ્થળો પર પહોંચી શકે અને પરત ફરી શકે.

Navratri 2025

આ સુવિધા 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર, 2025 સુધી ઉપલબ્ધ રહેશે. આ સમયગાળા દરમિયાન અમદાવાદ મેટ્રો ટ્રેન રાત્રે 2:00 વાગ્યા સુધી ચાલુ રહેશે. અમદાવાદમાં, થલતેજ ગામ, વસ્ત્રાલ ગામ, કોટેશ્વર રોડ અને APMC જેવા ટર્મિનલ સ્ટેશનો પરથી છેલ્લી ટ્રેન રાત્રે 2:00 વાગ્યે ઉપડશે.

ગાંધીનગરના મુસાફરો માટે પણ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 સુધીની છેલ્લી ટ્રેન રાત્રે 2:00 વાગ્યે ઉપડશે, જ્યારે સેક્ટર-1 થી મોટેરા સ્ટેડિયમ માટેની છેલ્લી ટ્રેન રાત્રે 1:00 વાગ્યે ઉપડશે.

નવરાત્રિના આ ખાસ સમયગાળા દરમિયાન મુસાફરી કરવા માટે રૂપિયા 50 ની કિંમતની ખાસ પેપર ટિકિટ ઉપલબ્ધ રહેશે. આ ટિકિટ તમામ મેટ્રો સ્ટેશનો પરથી ખરીદી શકાશે અને તે એક જ મુસાફરી માટે માન્ય રહેશે. આ સ્પેશિયલ ટિકિટની મદદથી લોકો મુશ્કેલી વિના મોડી રાત્રે પણ મેટ્રો સેવાનો લાભ લઈ શકશે.

GMRC નો આ નિર્ણય ગરબાના આયોજનો અને નવરાત્રિની ઉજવણીમાં ભાગ લેતા હજારો લોકોને ખૂબ મદદરૂપ થશે. મેટ્રોની આ વધારાની સુવિધાથી રાત્રે મુસાફરી કરવી વધુ સુરક્ષિત અને સરળ બનશે, જેનાથી લોકો તહેવારનો સંપૂર્ણ આનંદ માણી શકશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X