ધંધુકા કિશન ભરવાડ ચકચારી હત્યા કેસની તપાસમાં હવે NIA પણ જોડાઈ
કિશન ભરવાડ ચકચારી હત્ચા કેસની તપાસમાં હવે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(એનઆઈએ) પણ શામેલ થઈ ચૂકી છે.
અમદાવાદઃ ધંધુકાના કિશન ભરવાડ ચકચારી હત્ચા કેસની તપાસમાં હવે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(એનઆઈએ) પણ શામેલ થઈ ચૂકી છે. ગુજરાત એંટી ટેરરિસ્ટ સ્કવૉડ (એટીએસ)ના અધિકારીઓ દ્વારા ગુરુવારે આ માહિતી આપવામાં આવી હતી.

એટીએસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ હતુ કે, 'અમને આ કેસમાં આતંકવાદી એંગલ મળ્યા પછી UAPAની અરજી કરવામાં આવી હોવાથી NIA અધિકારીઓ તપાસમાં જોડાયા છે પરંતુ સત્તાવાર રીતે તપાસ હાથ ધરી નથી.' એટીએસ અધિકારીએ જણાવ્યુ હતુ કે એનઆઈએ ઉપરાંત કેન્દ્રીય આઈબી પણ કેસની વિગતો લઈ રહી છે કારણકે તેની દિલ્લી સાથે પણ લિંક છે.
મળતી માહિતી મુજબ અત્યાર સુધી પાકિસ્તાનના કોઈપણ સંગઠન સાથે કોઈ લિંક સ્થાપિત થઈ નથી. એવી અફવાઓ છે કે પાકિસ્તાનના અમિક સંગઠનો દિલ્લીના મૌલાના કમર ગની ઉસ્માની અને અમદાવાદ સ્થિત મૌલવી અય્યુબ જવરાવાલા સાથે સંકળાયેલા હતા. જેમણે કથિત રીતે બે મુખ્ય આરોપીઓ શબ્બીર ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણને ભરવાડની હત્યા કરવા માટે ઉશ્કેર્યા હતા પરંતુ પાકિસ્તાનના કોઈ પુરાવા ન મળ્યા હોવાનુ જાણવા મળ્યુ છે.
તમને જણાવી દઈએ કે એટીએસના અધિકારીઓએ કિશન ભરવાડની હત્યા કેસમાં વધુ 3 લોકોની ધરપકડ કરી હતી. એટીએસે બુધવારે રાજકોટ સ્થિત પિસ્તોલ સપ્લાયર રમીઝ સેતા પોરબંદર રહેવાસી, મોહમ્મદ હુસેન ખત્રી અને ધંધુકાના મતીન મોદનની ધરપકડ કરી હતી. ત્રણેયનો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ તેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. મોદને ચોપડા અને પઠાણ જ્યારે કિશન ભરવાડની હત્યા બાદ ભાગી રહ્યા હતા ત્યારે તેમને રહેવા, ભોજન અને 8000 રૂપિયા રોકડા આપ્યા હતા તેમ એટીએસના ડીવાયએસપી ચાવડાએ જણાવ્યુ હતુ.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
