અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો હંગામો યથાવત, ઈન્ડિગોની વધુ 42 ફ્લાઈટ રદ્દ
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPI) પર છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલી હવાઈ સેવાઓની મુશ્કેલીઓ આજે પણ યથાવત્ રહી છે. મંગળવારે ઈન્ડિગો (IndiGo) એરલાઈન્સની ઘણી ફ્લાઈટ રદ્દ થતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
એરપોર્ટ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મંગળવારે સવારના 11 વાગ્યા સુધીમાં, ઈન્ડિગો દ્વારા સંચાલિત કુલ 42 ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી હતી, જેમાં અમદાવાદ આવનારી અને અમદાવાદથી ઉપડનારી ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે.

સોમવારની જેમ જ મંગળવારે પણ મુંબઈ, દિલ્હી, બેંગ્લોર (બેંગલુરુ) અને હૈદરાબાદ જેવા વ્યસ્ત અને મુખ્ય રૂટ્સ પર સૌથી વધુ અસર જોવા મળી છે. આ રૂટ્સ પર સતત બીજા દિવસે પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ્દ થવાને કારણે મુસાફરોની અવરજવર ખોરવાઈ છે.
અગરતલા, બેંગ્લોર, લખનઉ, નવી દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા, પુણે અને વાસ્કો દ ગામા (GOI) જેવા સ્થળોથી અમદાવાદ આવનારી 22 ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી હતી.
અમદાવાદથી વાસ્કો દ ગામા, પુણે, નવી દિલ્હી, મુંબઈ, અગરતલા, કોઈમ્બતુર, બેંગ્લોર, ડુંગરપુર, હૈદરાબાદ, ચેન્નાઈ અને લખનઉ જેવા સ્થળોએ જતી 20 ફ્લાઈટ્સને રદ્દ કરવામાં આવી હતી.
ફ્લાઈટ રદ્દીકરણના આ સિલસિલાને પગલે મુસાફરોની સગવડતા ખોરવાઈ છે અને તેમને લાંબા વિલંબ કે પછી મુસાફરી રદ્દ કરવાની ફરજ પડી છે.
ચાલુ વિક્ષેપોને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ મુસાફરી માટે નીકળે તે પહેલાં સંબંધિત એરલાઈન્સનો સંપર્ક કરીને પોતાની ફ્લાઇટનું સ્ટેટસ ચોક્કસપણે ચકાસી લે. આનાથી એરપોર્ટ પર થતી બિનજરૂરી હાલાકી ટાળી શકાશે.












Click it and Unblock the Notifications
