કાલે પેટ્રોલ પંપની હડતાલ, ગુજરાતના 5 હજાર પેટ્રોલ પંપ ધારકોનુ પડતર માંગોને લઈને 'નો પરચેઝ'નુ એલાન
Petrol Pump Strike: પેટ્રોલિયમ ડીલર એસોસિએશને હડતાળનુ એલાન કર્યુ છે. જેમાં ગુજરાતના 5 હજાર પેટ્રોલ પંપધારકો જોડાશે. ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશને કમિશન માટે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં માંગ ન સંતોષાતા હવે પડતર માંગોને લઈને આ હડતાળનુ એલાન કરવામાં આવ્યુ છે.
ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશન દ્વારા આવતી કાલે એટલે કે 15 સપ્ટેમ્બરના રોજ 'નો પરચેઝ'નુ એલાન કરવામાં આવ્યુ છે. એસોસિએશનના જણાવ્યા મુજબ છેલ્લા 6 વર્ષથી કમિશનમાં વધારો કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે.

એસોસિએશન મુજબ 17 મહિનાનુ સીએનજીનુ માર્જીન પણ આપવામાં આવ્યુ નથી. જેના પરિણામે તેમણે પેટ્રોલ અને ડીઝલની ખરીદી ન કરવાનો નિર્ણય કર્યો છે. જો કે, ગ્રાહકોને મુશ્કેલી ન થાય તે માટે વેચાણ ચાલુ રાખવામાં આવશે.
અમદાવાદ સ્થિત એક પેટ્રોલિયમ ડીલરે જણાવ્યુ કે, વર્ષ 2017થી ડીલરોનુ માર્જિન વધારવામાં આવ્યુ નથી પરંતુ બીજા વિવિધ ખર્ચાઓ વધી રહ્યા છે. ડીલરોએ વધુ સ્ટાફ રાખ્યો છે. તેનો ખર્ચ વધી જાય છે પરંતુ કમિશન વધતુ નથી.
ફેડરેશન ઑફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશનના અધિકારીએ જણાવ્યુ કે ડીલર માર્જિન વધારવા માટે ઓઈલ કંપની તરફથી એક ઠરાવ થયેલ છે કે દર છ મહિને અમારુ ડીલર માર્જિન રિવીઝન કરવુ. પરંતુ તે છ વર્ષથી રિવાઈઝ થયુ નથી. અમે ઘણા પત્રો લખ્યા, રુબરુ મળ્યા પરંતુ હજુ સુધી કોઈ પૉઝિટીવ રિસ્પોન્સ નથી.












Click it and Unblock the Notifications
