Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કાલે પેટ્રોલ પંપની હડતાલ, ગુજરાતના 5 હજાર પેટ્રોલ પંપ ધારકોનુ પડતર માંગોને લઈને 'નો પરચેઝ'નુ એલાન

Petrol Pump Strike: પેટ્રોલિયમ ડીલર એસોસિએશને હડતાળનુ એલાન કર્યુ છે. જેમાં ગુજરાતના 5 હજાર પેટ્રોલ પંપધારકો જોડાશે. ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશને કમિશન માટે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં માંગ ન સંતોષાતા હવે પડતર માંગોને લઈને આ હડતાળનુ એલાન કરવામાં આવ્યુ છે.

ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશન દ્વારા આવતી કાલે એટલે કે 15 સપ્ટેમ્બરના રોજ 'નો પરચેઝ'નુ એલાન કરવામાં આવ્યુ છે. એસોસિએશનના જણાવ્યા મુજબ છેલ્લા 6 વર્ષથી કમિશનમાં વધારો કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે.

petrol pump

એસોસિએશન મુજબ 17 મહિનાનુ સીએનજીનુ માર્જીન પણ આપવામાં આવ્યુ નથી. જેના પરિણામે તેમણે પેટ્રોલ અને ડીઝલની ખરીદી ન કરવાનો નિર્ણય કર્યો છે. જો કે, ગ્રાહકોને મુશ્કેલી ન થાય તે માટે વેચાણ ચાલુ રાખવામાં આવશે.

અમદાવાદ સ્થિત એક પેટ્રોલિયમ ડીલરે જણાવ્યુ કે, વર્ષ 2017થી ડીલરોનુ માર્જિન વધારવામાં આવ્યુ નથી પરંતુ બીજા વિવિધ ખર્ચાઓ વધી રહ્યા છે. ડીલરોએ વધુ સ્ટાફ રાખ્યો છે. તેનો ખર્ચ વધી જાય છે પરંતુ કમિશન વધતુ નથી.

ફેડરેશન ઑફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશનના અધિકારીએ જણાવ્યુ કે ડીલર માર્જિન વધારવા માટે ઓઈલ કંપની તરફથી એક ઠરાવ થયેલ છે કે દર છ મહિને અમારુ ડીલર માર્જિન રિવીઝન કરવુ. પરંતુ તે છ વર્ષથી રિવાઈઝ થયુ નથી. અમે ઘણા પત્રો લખ્યા, રુબરુ મળ્યા પરંતુ હજુ સુધી કોઈ પૉઝિટીવ રિસ્પોન્સ નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X