આઝાદીના લડવૈયાએ 98 વર્ષની ઉંમરે કોરોનાને હરાવ્યો
ઇશ્વરલાલ દવેએ હોસ્પિટલમાં દાખલ થયાના 12 દિવસ બાદ કોરોના સંક્રમણમાંથી સ્વસ્થ થયા હતા. તેમણે ડિસ્ચાર્જ થવા અને સારા સ્વાસ્થ્ય માટે પોતાના 20 વર્ષના યોગાભ્યાસને શ્રેય આપ્યો હતો.
અમદાવાદ : શહેરના નવરંગપુરાના આ 98 વર્ષીય યુવાન સવારે 5 કલાકે જાગે છે અને એક કલાક યોગ કરે છે. જે બાદ તેમને ફરવા પણ જાય છે. જ્યારે તેમના ઘણા નાની ઉમરના સંબંધીઓ પોસ્ટ કોવિડ ઇફેક્ટ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. ઇશ્વરલાલ દવેએ હોસ્પિટલમાં દાખલ થયાના 12 દિવસ બાદ કોરોના સંક્રમણમાંથી સ્વસ્થ થયા હતા. તેમણે ડિસ્ચાર્જ થવા અને સારા સ્વાસ્થ્ય માટે પોતાના 20 વર્ષના યોગાભ્યાસને શ્રેય આપ્યો હતો.

ઇશ્વરલાલ દવેએ તેમના સ્વસ્થ આયુષ્યના રહસ્ય વિશે જણાવ્યું કે, "સંતુલિત ખોરાક અને સંતુલિત વિચારો માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની ચાવી છે. દરેકને ચઢાવ-ઉતારનો સામનો કરવો પડે છે, પરંતુ માનસિકતા અને ક્યારેય ન મરવાનું વલણ સુનિશ્ચિત કરે છે કે, આપણે પડકારોથી દબાયેલા નથી".
ઇશ્વરલાલ દવેને તાજેતરમાં ચિકનગુનિયા થયો હતો, તેમને તેમાંથી પણ તેમને ઝડપથી સ્વસ્થ થયા હતા. ચિકનગુનિયા રોગ સાંધા પર પ્રતિકૂળ અસર કરે છે.
ઇશ્વરલાલ દવેની 94 પત્ની વર્ષીય સારા સ્વાસ્થ્ય સાથે તેમની બેટર હાફ છે. દંપતીના પુત્રો વિદેશમાં સ્થાયી થયા છે, પરંતુ તેમને પોતાનું સક્રિય જીવન શહેરમાં વિતાવે છે જે તેમના જીવનને આકાર આપે છે.

ઇશ્વરલાલ દવે આઝાદીની લડતના દિવસો વગોળતા જણાવે છે કે, "મેં દરિયાપુરથી કોંગ્રેસના સભ્ય તરીકે ભારત છોડો આંદોલનમાં સક્રિય ભાગ લીધો હતો. મને આબેહૂબ યાદ છે કે, અમે પેમ્ફલેટ વહેંચતા હતા અને રેલી કાઢતા હતા. ચમનપુરામાં આવી જ એક રેલીમાં અમારા પર પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આખરે પકડાઈ ગયા હતા. અમને કરંજ વિસ્તારની કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. મને છ મહિનાની જેલની સજા અને 200 રૂપિયાનો દંડ થયો. મેં તેને ચૂકવવાનો ઇન્કાર કર્યો હોવાથી મારી જેલની સજા બે મહિના વધુ લંબાવવામાં આવી હતી. મેં અન્ય લોકો સાથે સાબરમતી જેલમાં પણ મહિનાઓ વિતાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભારત આઝાદ થયા બાદ ઇશ્વરલાલ દવે પોતાનું કાર્ય ચાલુ રાખવા માટે સામાજિક સંસ્થાઓમાં જોડાયા હતા.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
