આઝાદીના લડવૈયાએ 98 વર્ષની ઉંમરે કોરોનાને હરાવ્યો
ઇશ્વરલાલ દવેએ હોસ્પિટલમાં દાખલ થયાના 12 દિવસ બાદ કોરોના સંક્રમણમાંથી સ્વસ્થ થયા હતા. તેમણે ડિસ્ચાર્જ થવા અને સારા સ્વાસ્થ્ય માટે પોતાના 20 વર્ષના યોગાભ્યાસને શ્રેય આપ્યો હતો.
અમદાવાદ : શહેરના નવરંગપુરાના આ 98 વર્ષીય યુવાન સવારે 5 કલાકે જાગે છે અને એક કલાક યોગ કરે છે. જે બાદ તેમને ફરવા પણ જાય છે. જ્યારે તેમના ઘણા નાની ઉમરના સંબંધીઓ પોસ્ટ કોવિડ ઇફેક્ટ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. ઇશ્વરલાલ દવેએ હોસ્પિટલમાં દાખલ થયાના 12 દિવસ બાદ કોરોના સંક્રમણમાંથી સ્વસ્થ થયા હતા. તેમણે ડિસ્ચાર્જ થવા અને સારા સ્વાસ્થ્ય માટે પોતાના 20 વર્ષના યોગાભ્યાસને શ્રેય આપ્યો હતો.
ઇશ્વરલાલ દવેએ તેમના સ્વસ્થ આયુષ્યના રહસ્ય વિશે જણાવ્યું કે, "સંતુલિત ખોરાક અને સંતુલિત વિચારો માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની ચાવી છે. દરેકને ચઢાવ-ઉતારનો સામનો કરવો પડે છે, પરંતુ માનસિકતા અને ક્યારેય ન મરવાનું વલણ સુનિશ્ચિત કરે છે કે, આપણે પડકારોથી દબાયેલા નથી".
ઇશ્વરલાલ દવેને તાજેતરમાં ચિકનગુનિયા થયો હતો, તેમને તેમાંથી પણ તેમને ઝડપથી સ્વસ્થ થયા હતા. ચિકનગુનિયા રોગ સાંધા પર પ્રતિકૂળ અસર કરે છે.
ઇશ્વરલાલ દવેની 94 પત્ની વર્ષીય સારા સ્વાસ્થ્ય સાથે તેમની બેટર હાફ છે. દંપતીના પુત્રો વિદેશમાં સ્થાયી થયા છે, પરંતુ તેમને પોતાનું સક્રિય જીવન શહેરમાં વિતાવે છે જે તેમના જીવનને આકાર આપે છે.
ઇશ્વરલાલ દવે આઝાદીની લડતના દિવસો વગોળતા જણાવે છે કે, "મેં દરિયાપુરથી કોંગ્રેસના સભ્ય તરીકે ભારત છોડો આંદોલનમાં સક્રિય ભાગ લીધો હતો. મને આબેહૂબ યાદ છે કે, અમે પેમ્ફલેટ વહેંચતા હતા અને રેલી કાઢતા હતા. ચમનપુરામાં આવી જ એક રેલીમાં અમારા પર પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આખરે પકડાઈ ગયા હતા. અમને કરંજ વિસ્તારની કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. મને છ મહિનાની જેલની સજા અને 200 રૂપિયાનો દંડ થયો. મેં તેને ચૂકવવાનો ઇન્કાર કર્યો હોવાથી મારી જેલની સજા બે મહિના વધુ લંબાવવામાં આવી હતી. મેં અન્ય લોકો સાથે સાબરમતી જેલમાં પણ મહિનાઓ વિતાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભારત આઝાદ થયા બાદ ઇશ્વરલાલ દવે પોતાનું કાર્ય ચાલુ રાખવા માટે સામાજિક સંસ્થાઓમાં જોડાયા હતા.