દલિત, આદિવાસી, OBC અને માઇનોરિટી એક મંચ પર આવશે, ગાંધીનગરમાં સંવિધાન દિવસ પર રાષ્ટ્રીય બહુજન અધિકાર મહાસંમેલન
અમદાવાદ: સમગ્ર દેશમાં 26 નવેમ્બર સંવિધાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. બંધારણીય મૂલ્યોને લોકો સુધી પહોંચાડવા માટે સંગઠનો અને સ્થાનિક લોકો આ દિવસને ધામધૂમથી ઉજવી રહ્યા છે. રાષ્ટ્રીય સંવિધાન દિવસને રાષ્ટ્રીય કાનૂન દિવસ અને ભારતીય સંવિધાન દિવસના નામથી જાણવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે 26 નવેમ્બરના દિવસે ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય બહુજન અધિકાર મહાસંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે. આ સાથે, બૌદ્ધ મહા સંમેલન તેમજ બહુજન એકતા યાત્રા પણ કાઢવામાં આવશે.
આ કાર્યક્રમમાં દલિત સમાજ, આદિવાસી સમાજ, OBC સમાજ અને માઈનોરિટી સમાજના લોકો જોડાશે અને બંધારણની મૂળ ભાવનાઓ પ્રત્યે પોતાની જવાબદારી દાખવશે. આ કાર્યક્રમના 2 મહિના પહેલા જ ગુજરાતના અનેક ગામો અને શહેરોમાં લોકો દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમમાં ભાગ લેવામાં માટે ગુજરાતના અનેક વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે. આ કાર્યક્રમમાં અનેક મોટા સામાજિક સંગઠનો, બહુજન ચિંતકો, સામાજિક આગેવાનો સહિતના અનેક મહાનુભાવો હાજરી આપશે.

આ દિવસે દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને હાલ ધારાસભ્ય રાજેન્દ્ર ગૌતમ પણ હાજરી આપશે. તેઓએ આ કાર્યક્રમમાં લાગેલી મિશન જય ભીમ ટીમને પણ અભિનંદન આપ્યા હતા. મિશન જય ભીમના નેજા હેઠળ આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ કાર્યક્રમમાં તમામ સમાજના સંગઠનો અને બહુજન ચિંતકો હાથથી હાથ મિલાવીને કામ કરી રહ્યા છે. આ કાર્યક્રમ ગાંધીનગરના સેક્ટર 11માં પથિકા આશ્રમ પાછળના ગ્રાઉન્ડ પર આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશની સંવિધાન સભાએ હાલના સંવિધાનને વિધિવત રીતે 26 નવેમ્બર, 1949ના રોજ સ્વીકાર કર્યું હતું. જોકે, સ્વીકાર કર્યાના બે મહિના બાદ એટલે 26 જાન્યુઆરી 1950ના રોજ તેને લાગુ કર્યું હતું. આ કારણે તે 26 નવેમ્બરના રોજ સંવિધાન દિવસ તરીકે મનાવવામાં આવે છે.
નોંધનીય બાબત છે કે, બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે સામાજિક ન્યાય મંત્રાલય દ્વારા 19 નવેમ્બર, 2015ના રોજ 26 નવેમ્બરના દિવસને બંધારણીય દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સંવૈધાનિક મૂલ્યોની જાણકારી દેશના દરેક નાગરિકને હોય, એટલા માટે આ દિવસને મનાવામાં આવે છે. આ દિવસે સ્કૂલ અને કોલેજમાં ભારતીય સંવિધાનની પ્રસ્તાવનાને ભણાવવામાં આવે છે. તેની સાથે જ ભારતીય સંવિધાનની વિશેષતા અને મહત્વ પર પણ ચર્ચા થાય છે.
-
India Flights Resume : મધ્ય પૂર્વથી ભારત માટે ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ, ઇન્ડિગો અને અમીરાતે રાહત ફ્લાઇટ્સ શરૂ કરી -
કીર્તિ પટેલ-ઈન્દ્રભારતી બાપુ વચ્ચે સમાધાન, મૃગી કુંડમાં સ્નાન કરતા શરૂ થઈ હતી બબાલ -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
ખેડૂતો માટે આવનારૂ વર્ષ કેવુ રહેશે? હોળીની જ્વાળાઓ શું સંકેત આપે છે? -
ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઇનલ ટાઇ થઈ તો? જાણો ફાઇનલ કઈ ટીમ રમશે? -
રાજકોટથી મુંબઈ જવું હવે વધુ સરળ બનશે, 2 નવી ફ્લાઇટ થશે શરૂ -
માર્ચ મહિનો કેટલો ગરમ રહેશે? ગરમીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી -
મહેન્દ્ર સિંહ ધોનીથી થઈ ગઈ ભૂલ? પોલીસે ફટકાર્યો દંડ, જાણો શું છે સમગ્ર મામલો -
જેદ્દાહથી 200 ભારતીયોને લઈને ઇન્ડિગોની સ્પેશિયલ ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પહોંચી -
IND vs ENG: ઇંગ્લેન્ડ સામેની સેમિફાઈનલમાં નહીં રમે રિંકુ સિંહ, મોટું કારણ આવ્યું સામે -
જોર્ડનમાં ફસાયેલી ભારતીય વિદ્યાર્થિનીની સુરક્ષિત વાપસીમાં ઈફ્કોએ ભજવી મહત્વની ભૂમિકા








Click it and Unblock the Notifications
