Western Railways: રક્ષાબંધન માટે બાંદ્રાથી જયપુર અને અમદાવાદ માટે બે વિશેષ ટ્રેન દોડશે
Western Railways: આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 19મી ઓગસ્ટના રોજ ઉજવાશે છે. અપેક્ષા મુજબ, પશ્ચિમ રેલવે દ્વારા બે વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, આ ટ્રેનો બાંદ્રા ટર્મિનસથી જયપુર અને અમદાવાદ સુધી ચાલશે, સુરત સ્ટેશન પર 5 મિનિટના હોલ્ટ સાથે આ ટ્રેન ઓપરેટ થશે.
રેલવે અધિકારીઓએ આ નિર્ણય લીધો છે. કારણ કે, નિયમિત ટ્રેનો રક્ષાબંધન માટે સંપૂર્ણ રીતે બુક થઈ ગઈ છે. આ સ્પેશિયલ ટ્રેનો શરૂ થવાથી બહેનો માટે આ ખાસ અવસર પર તેમના ભાઈઓને રાખડી બાંધવા અને મુસાફરી કરવાનું સરળ બનશે.
ટ્રેન નંબર 09053, બાંદ્રા-અમદાવાદ સ્પેશિયલ, 14મી ઓગસ્ટે રાત્રે 9:30 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે. તે સુરત સ્ટેશને સવારે 1.38 વાગ્યે અને અમદાવાદ સવારે 5:30 વાગ્યે પહોંચશે.

પરત ફરતી વખતે, ટ્રેન નંબર 09054, અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ, 15મી ઓગસ્ટના રોજ સવારે 8:45 વાગ્યે અમદાવાદથી ઉપડશે.
સુરત બપોરે 1:25 વાગ્યે પહોંચશે અને સાંજે 5:15 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન તેની મુસાફરી દરમિયાન બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ અને ગરતપુર સ્ટેશનો પર ઉભી રહેશે.
ટ્રેન નંબર 09037, બાંદ્રા ટર્મિનસ-જયપુર સ્પેશિયલ, બાંદ્રા ટર્મિનસથી 15મી ઓગસ્ટે રાત્રે 9:40 વાગ્યે ઉપડશે અને સવારે 1:45 વાગ્યે સુરત પહોંચશે.
ટ્રેન બીજા દિવસે સાંજે 4:00 વાગ્યે જયપુર પહોંચશે. પરત ફરતી વખતે, ટ્રેન નંબર 09038, જયપુર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ, જયપુરથી 16મી ઓગસ્ટના રોજ સાંજે 7:00 વાગ્યે ઉપડશે.
બીજા દિવસે સવારે 8:35 વાગ્યે સુરત પહોંચશે અને અંતે 1:00 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પર પહોંચશે.
મુસાફરી દરમિયાન આ ટ્રેન બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, ગોધરા, રતલામ, નાગદા, કોટા અને સવાઈ માધોપુર સ્ટેશનો પર ઉભી રહેશે.












Click it and Unblock the Notifications
