Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'આપણે આજે પણ કહીએ છીએ કે દેશનુ નમક ખાધુ છે...', જાણો PM મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ લૉન્ચિંગમાં શું-શું કહ્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે(12 માર્ચ) અમદાવાદમાં આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવ્યો.

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે(12 માર્ચ) અમદાવાદમાં આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. પીએમ મોદીએ 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની વેબસાઈટ લૉન્ચ કરી. તમને જણાવી દઈએ કે 15 ઓગસ્ટ 2022થી 75 સપ્તાહ પહેલા આજે આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ થયો છે. મહોત્સવ શરૂ કરાવતી વખતે પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે આઝાદીના 75 વર્ષનો આ અવસર વર્તમાન પેઢીને એક અમૃતની જેમ મળશે. એક એવુ અમૃત જે આપણે પ્રતિપળ દેશ માટે જીવવા, કંઈક કરવા માટે પ્રેરિત કરશે. આપણે ભારતીયો ભલે દેશમાં રહેતા હોય કે વિદેશમાં, આપણે પોતાની મહેનતથી ખુદને સાબિત કરી છે. પીએમ મોદીએ કહ્યુ કે આપણે આજે પણ કહીએ છીએ કે આપણે દેશનુ નમક ખાધુ છે. આવુ એટલા માટે નહિ કે નમક બહુ કિંમતી વસ્તુ છે. આવુ એટલા માટે કારણકે નમક આપણે ત્યાં શ્રમ અને સમાનતાનુ પ્રતીક છે. ભારતના લોકોને હંમેશાથી પોતાના બંધારણ અને લોકતાંત્રિક પરંપરાઓ પર ગર્વ છે. લોકતંત્રની જનની ભારત આજે પણ લોકતંત્રને મજબૂતી આપીને આગળ વધી રહ્યો છે.

'અમૃત મહોત્સવને આજે વરુણ દેવે પણ આશીર્વાદ આપ્યા'

'અમૃત મહોત્સવને આજે વરુણ દેવે પણ આશીર્વાદ આપ્યા'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ, 'આજે(12 માર્ચ) સવારે દિલ્લીથી નીકળ્યો તો બહુ અદભૂત સંયોગ થયો. અમૃત મહોત્સવનો પ્રારંભ થતા પહેલા આજે દેશની રાજધાનીમાં અમૃત વર્ષા પણ થઈ અને વરુણ દેવે તેને પોતાના આશીર્વાદ પણ આપ્યા છે. આ આપણે સૌનુ સૌભાગ્ય છે કે આપણે આઝાદ ભારતમાં આ ઐતિહાસિક કાળખંડના સાક્ષી બની રહ્યા છે.' પીએમ મોદીએ કહ્યુ કે, 'આજે દાંડીયાત્રાની વર્ષગાંઠ પર આપણે બાપૂના આ કર્મ સ્થળ પર ઈતિહાસ બનતા પણ જોઈ રહ્યા છે અને ઈતિહાસનો હિસ્સો પણ બની રહ્યા છે. હું આ પુણ્ય અવસર પર બાપૂના ચરણોમાં પોતાના શ્રદ્ધાસુમન અર્પણ કરુ છુ.'

પીએમ મોદીએ સમજાવ્યુ ભારતમાં શું છે મીઠાના સત્યાગ્રહનો અર્થ

પીએમ મોદીએ સમજાવ્યુ ભારતમાં શું છે મીઠાના સત્યાગ્રહનો અર્થ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ, 'આપણે આજે પણ કહીએ છીએ કે અમે દેશનુ નમક ખાધુ છે. આપણે અહી નમકને ક્યારેય તેની કિંમતથી નથી આંકવામાં આવ્યુ. આપણે અહીં નમકનો અર્થ છે - ઈમાનદારી. આપણે અહીં નમકનો અર્થ છે - વિશ્વાસ. આપણે ત્યાં નમકનો અર્થ છે - વફાદારી.' પીએમ મોદીએ કહ્યુ, 'આઝાદીના આંદોલનની જ્યોતિને નિરંતર જાગૃત કરવાનુ કામ પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ, દરેક દિશામાં આપણા સંતો-મહંતો, આચાર્યોએ કર્યુ હતુ.'

પીએમ મોદીએ કહ્યુ - આજે દુનિયાના દેશ ભારતનો આભાર માની રહ્યા છે

પીએમ મોદીએ કહ્યુ - આજે દુનિયાના દેશ ભારતનો આભાર માની રહ્યા છે

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ, 'કોરોના કાળમાં આ આપણી સામે પ્રત્યક્ષ સિદ્ધ પણ થઈ રહ્યુ છે. માનવતાને મહામારીના સંકટમાંથી બહાર કાઢવામાં, વેક્સીન નિર્માણમાં ભારતની આત્મનિર્ભરતાનો આજે આખી દુનિયાને લાભ મળી રહ્યો છે. આજે દુનિયાના દેશ ભારતનો આભાર માની રહ્યા છે, ભારત પર ભરોસો કરી રહ્યા છે. આ જ નવા ભારતના સૂર્યોદયની પહેલી છટા છે. આ જ આપણા ભવ્ય ભવિષ્યની પહેલી આભા છે.' પીએમ મોદીએ કહ્યુ, 'આજે પણ ભારતની ઉપલબ્ધિઓ માત્ર આપણી નથી પરંતુ તે આખી દુનિયાને રોશની બતાવનાર છે.'

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X