મેધા પાટકરના મુદ્દે મોંઘવારી બેરોજગારીથી ભટકાવવાનો ભાજપનો પ્રયાસઃ કોંગ્રેસ
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ રાહુલ ગાંધીની રાજકોટ મુલાકાતને સભા સ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે મેધા પાટકરની ભારત જોડો યાત્રામાં સામેલગીરીને લઇને જણાવ્યું હતું કે 'ભારત જોડો યાત્રા’માં લાખો લોકો જોડાઇ રહ્યા છે. કોઇપણ વ્યક્તિ જોડાય તો અમે તેને રોકી શકીએ નહીં. ભાજપ મુદ્દો ભટકાવવા માંગે છે. ગુજરાતની જનતા મોંઘવારી અને બેરોજગારીથી પરેશાન છે. રઘુ શર્માએ જણાવ્યુ હતુ કે, ભાજપ બેરોજગારી-મોંઘવારી વિશે વાત કરવી જોઇએ અને તેમના 27 વર્ષના શાસનકાળ વિશે વાત કરવી જોઇએ.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જામી છે ત્યારે, ભાજપ અને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા એકબીજા પર દોષારોપણનો દોર શરૂ થઇ ગયો છે. ભાજપે મેધા પાટકરના ભારત જોડો યાત્રામાં સામેલગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે, કોંગ્રેસના નેતાઓ તેને કોઇપણ ભારતીય નાગરિક ભારત યાત્રામાં સામેલ થઇ શકે છે, તેઓ સવાલ ઉઠાવ્યો હતો. તો, ભાજપે મેધા પાટકરના મુદ્દે ગુજરાતના મતદારોને ઉશ્કેરવા પ્રયાસ કર્યો હતો.
ઉલ્લેખનિય છેકે, મધ્યપ્રદેશના મેધા પાટકર એક જાણીતા પર્યાવરણવાદી એક્ટિવિસ્ટ છે. તેમણે નર્મદાના મુદ્દે જમીની અને કાનુની લડાઇ લડી હતી. જેના કારણે, ભાજપ અવસરવાદીતા લઇને તેમને ગુજરાત વિરોધી ચિતરવાનો પ્રયાસ કરે છે.












Click it and Unblock the Notifications
