તમારા પાસપોર્ટમાં થઇ શકે છે આ ફેરફારો, શું તમને ખબર છે?
જો તમે પાસપોર્ટ ન બનાવડાવ્યો હોય, તો હવે ચિંતા કરવાની જરૂર નથી; કારણ કે હવે તમે જ્યારે પાસપોર્ટ બનાવશો ત્યારે તમારા હાથમાં બાયોમેટ્રિક માહિતીથી સજ્જ ઇ-પાસપોર્ટ આવશે.
જો તમે પાસપોર્ટ ન બનાવડાવ્યો હોય, તો હવે ચિંતા કરવાની જરૂર નથી; કારણ કે હવે તમે જ્યારે પાસપોર્ટ બનાવશો ત્યારે તમારા હાથમાં બાયોમેટ્રિક માહિતીથી સજ્જ ઇ-પાસપોર્ટ આવશે. કેન્દ્ર સરકાર ઇ-પાસપોર્ટ બનાવવાનો વિચાર કરી રહી છે. ઇટીની ખબરો અનુસાર કેન્દ્ર સરકાર પાસપોર્ટ જેવા દસ્તાવેજને વધુ સુરક્ષિત બનાવવા માટે નવા ઇ-પાસપોર્ટ બહાર પાડશે.

ઇટીએ પોતાના અહેવાલમાં લખ્યું છે કે, ઇ-પાસપોર્ટ લોકોની જાણકારીને સુરક્ષિત રાખશે. ઇ-પાસપોર્ટમાં એક ચિપ હશે, આ ચિપમાં એ તમામ સૂચનાઓ રહેશે જે પાસપોર્ટના ડેટા પેજ પર હોય છે. ઇ-પાસપોર્ટને કારણે ઇમિગ્રેશન અધિકારીઓને દગાબાજો અને છેતરપિંડી કરનારાઓને પકડવામાં તથા પાસપોર્ટના દુરુપયોગને અટકાવવામાં મદદ મળશે. આ અહેવાલમાં એમ પણ કહેવાયું છે કે વિદેશ મંત્રાલય ઇ-પાસપોર્ટ બાદ ડિજિટલ પાસપોર્ટ લોન્ચ કરી શકે છે, જેને મોબાઇલમાં પણ રાખી શકાશે.
સંસદના શિયાળુ સત્રમાં વિદેશ રાજ્ય મંત્રી વી.કે.સિંહે એક સવાલના જવાબમાં કહ્યું કે, કેન્દ્ર સરકારે નાસિકના ઇન્ડિયા સિક્યોરિટી પ્રેસમાં ઇ-પાસપોર્ટ બનાવવા માટે ઇલેક્ટ્રોનિક કૉન્ટેક્ટલેસ ઇનલેજસની ખરીદીને મંજૂરી આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બનાવટી પાસપોર્ટની સમસ્યા નિવારવા માટે વિદેશ મંત્રાલય દેશભરના પાસપોર્ટ સેન્ટર્સને ભારતીય ડિપ્લોમેટ મિશન સાથે જોડી શકાય, એવી સિસ્ટમ બનાવવાના કામે લાગ્યું છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
