અમદાવાદમાં દબદબાભેર નિકળશે 136મી રથયાત્રા
અમદાવાદ, 6 જુલાઈ : સમગ્ર અમદાવાદ પોતાનો નગરોત્સવ ઉજવવા આતુર અને થનગની રહ્યું છે. શહેરના સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથજી મંદિરની પૌરાણિક અને પારમ્પરિક દિવ્ય અને ભવ્ય 136મી રથયાત્રા આગામી 10 જુલાઈ બુધવારના રોજ દબદબાભેર નિકળશે. રથયાત્રાની પરમ્પરા મુજબ તમામ શ્રદ્ધાળુઓ રથયાત્રામાં હર્ષોલ્લાસથી ભાગ લઈ પ્રેમ, ભક્તિ, સદ્ભાવના, ભાઈચારા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવે તેવી શ્રી જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસ મહારાજે લોકોને અપીલ કરી છે. રથયાત્રા ભારતીય લોક સંસ્કૃતિનું સર્વોચ્ચ પ્રતીક છે. બે ભાઇઓ સાથે તેમની બહેનની પણ પૂજા થતી હોય, તેવો આ એક જ પુણ્યોત્સવ છે. લાખોની સંખ્યામાં લોકો તેમાં ભાઈ લેશે.

જગન્નાથ મંદિર ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ આજે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે શહેર પોલીસ કમિશ્નરે વ્યવસ્થાપક કમિટીની અરજીને ધ્યાને લઈ રથયાત્રાની પરવાનગી આપી છે. રથયાત્રા તેના અસલ પરમ્પરાગત માર્ગો ઉપર જ ફરશે. તેના અગ્રભાગમાં 18 શણગારેલા ગજરાજો, ત્યાર બાદ 98 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન પંડળીઓ સાથે 3 બૅન્ડવાજા વાળા રહેશે. સાધુ-સંતો, ભક્તો સાથે 1000થી 1200 ખલાસી ભાઇઓ રથ ખેંચશે. દેશભરમાંથી 2000 સાધુ-સંતો આવશે. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી આ પ્રસંગે સાધુ-સંતો ઉમટી પડશે.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 10મી જુલાઈના રોજ જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથનો રથ ખેંચી પરમ્પરાગત પહિંદ વિધિ કરશે. આ સાથે જ રથયાત્રાનો આરંભ થશે. જગન્નાથ મંદિરમાંથી છેલ્લા 135 વરસથી રથયાત્રા નિકળતી રહી છે અને આ વખતે 136મી રથયાત્રા નિકળશે. આ વર્ષે રથયાત્રાના દિવસે સવારે મંગળા આરતી પછી આદિવાસી નૃત્યનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે સમગ્ર રથયાત્રા દરમિયાન 25 હજાર કિલો મગ, 400 કિલો જાંબુ, 200 કિલો કેરી, 200 કિલો કાકડી અને દાડમ તથા 2 લાખ ઉપર્ણા પ્રસાદમાં વહેંચાશે.
રથયાત્રાનું સમય-પત્રક
સવારે 07.00 : મંદિરથી રથયાત્રાનો શુભારંભ
સવારે 09.00 : અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન
સવારે 09.45 : રાયપુર ચકલા
સવારે 10.30 : ખાડિયા ચાર રસ્તા
સવારે 11.15 : કાલૂપુર સર્કલ
બપોરે 12.00 : સરસપુર રણછોડ રાય મંદિર
બપોરે 01.30 : સરસપુરથી પરત
બપોરે 02.00 : કાલૂપુર સર્કલ
બપોરે 02.30 : પ્રેમ દરવાજા
બપોરે 03.15 : દિલ્હી ચકલા
બપોરે 03.45 : શાહપુર દરવાજા
સાંજે 04.30 : આર. સી. હાઈસ્કૂલ
સાંજે 05.00 : ઘીકાંટા
સાંજે 05.45 : પાનકોર નાકા
સાંજે 06.30 : માણેકચોક
રાત્રે 08.30 : નિજ મંદિરે પરત
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
