આનંદીબેન કરી પહિંદ વિધિ, શરૂ થઇ જગતના નાથની નગરયાત્રા
હરીભક્તો જે દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે તેવા જગતના નાથ ભગવાન જગનન્નાથની નગરયાત્રાની શરૂઆત થઇ ચૂકી છે. આજે સવારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા પહિંદની વિધિ કરવામાં આવી હતી. જે બાદ ભગવાન જગન્નાથ સાથે બહેન સુભદ્રા અને ભાઇ બાલભદ્રજીને રથમાં બેસાડીને તેમની આ નગરયાત્રા શરૂ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે આ નગરયાત્રામાં મોટી સંખ્યામાં હરી ભક્તો જોડાયા હતા. તથા સવારે મંગળા આરતી ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રમુખ અમિત શાહના હસ્તે કરવામાં આવી હતી. આ વખતની રથયાત્રામાં 101 ટ્રક, 30 અખાડા સમતે ભારતભરમાંથી આવેલા 2000 વધુ સંતો અને હરિભક્તો જોડાયા હતા.
નોંધનીય છે કે 1200 ખલાસીઓ દ્વારા ખેંચવામાં આવી રહેલો ભગવાન જગન્નાથનો આ રથ આખો દિવસ નગરયાત્રા કરીને રાત્રે મંદિર પરત ફરશે. ત્યારે આ સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ રીતે થાય તે માટે પોલિસ દ્વારા ચાંપતો બંદોવસ્ત કરવામાં આવ્યો છે. અને મોટી સંખ્યામાં હરિ ભક્તો પણ ધીરે ધીરે આ નગર યાત્રામાં જોડાઇ રહ્યા છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
