ભિલોડા પાસે ગોજારા અકસ્માતમાં 14ના મોત, મોદી જશે મળવા
ભિલોડા, 25 જાન્યુઆરી: ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા કુંડોલપાલ ગામે શુક્રવારે વહેલી સવારે ગોજારો અકસ્માત સર્જાયો હતો, જેમાં એક સાથે એક જ ગામના 14 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 35 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનોને મળવા પણ જવાના છે. ઉપરાંત મૃતકોના પરિવારજનોને 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી છે.
અત્રે નોંધનીય છે કે કુંડોલપાલ ગામના 35થી પણ વધારે ડામોર જ્ઞાતિના લોકો કોઇ નજીકના સ્વજનનું મૃત્યું થયું હોવાના કારણે લૌકીક ક્રિયા માટે 35થી વધારે લોકો ટ્રેક્ટરમાં બેસીને જઇ રહ્યા હતા. આ ટ્રેક્ટર ગામના સરપંચ ચલાવી રહ્યા હતા. ડ્રાઇવિંગ દરમિયાન ગામથી દૂર એક ઢાળ પર સરપંચે કાબૂ ગૂમાવતા આખુ ટ્રેક્ટર ઢાળમાં ધસી પડ્યું હતું જેમાં સરપંચ સહિત 14 લોકોના મોત નિપજ્યા હતા.
ઘટના ઘટતા જ તાત્કાલિક 108ને ફોન કરીને બોલાવી લેવામાં આવી હતી તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઇજા પામેલા લોકોનું મોત નિપજ્યું હતું. બાકીના ઇજાગ્રસ્ત લોકોને હિમ્મતનગર સિવિલ હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
નરેન્દ્ર મોદીએ આજે આ ગોજારા અકસ્માત અંગે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શોક વ્યક્ત કર્યો હતો, તેમજ મૃતકોના પરિવારજનોને 1-1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેમજ તેઓ પોતે મૃતકના પરિવારો અને ઇજાગ્રસ્તોને મળવા જશે.

ભિલોડા પાસે એક્સિડેન્ટમાં 14ના મોત, મોદી જશે મળવા
ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા કુંડોલપાલ ગામે શુક્રવારે વહેલી સવારે ગોજારો અકસ્માત સર્જાયો હતો, જેમાં એક સાથે એક જ ગામના 14 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 35 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
|
ભિલોડા પાસે એક્સિડેન્ટમાં 14ના મોત, મોદી જશે મળવા
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનોને મળવા પણ જવાના છે. ઉપરાંત મૃતકોના પરિવારજનોને 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી છે.
|
ભિલોડા પાસે એક્સિડેન્ટમાં 14ના મોત, મોદી જશે મળવા
નરેન્દ્ર મોદીએ આજે આ ગોજારા અકસ્માત અંગે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શોક વ્યક્ત કર્યો હતો, તેમજ મૃતકોના પરિવારજનોને 1-1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેમજ તેઓ પોતે મૃતકના પરિવારો અને ઇજાગ્રસ્તોને મળવા જશે.
|
ભિલોડા પાસે એક્સિડેન્ટમાં 14ના મોત, મોદી જશે મળવા
ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા કુંડોલપાલ ગામે શુક્રવારે વહેલી સવારે ગોજારો અકસ્માત સર્જાયો હતો, જેમાં એક સાથે એક જ ગામના 14 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 35 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનોને મળવા પણ જવાના છે. ઉપરાંત મૃતકોના પરિવારજનોને 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?






Click it and Unblock the Notifications
