ભિલોડા પાસે ગોજારા અકસ્માતમાં 14ના મોત, મોદી જશે મળવા
ભિલોડા, 25 જાન્યુઆરી: ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા કુંડોલપાલ ગામે શુક્રવારે વહેલી સવારે ગોજારો અકસ્માત સર્જાયો હતો, જેમાં એક સાથે એક જ ગામના 14 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 35 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનોને મળવા પણ જવાના છે. ઉપરાંત મૃતકોના પરિવારજનોને 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી છે.
અત્રે નોંધનીય છે કે કુંડોલપાલ ગામના 35થી પણ વધારે ડામોર જ્ઞાતિના લોકો કોઇ નજીકના સ્વજનનું મૃત્યું થયું હોવાના કારણે લૌકીક ક્રિયા માટે 35થી વધારે લોકો ટ્રેક્ટરમાં બેસીને જઇ રહ્યા હતા. આ ટ્રેક્ટર ગામના સરપંચ ચલાવી રહ્યા હતા. ડ્રાઇવિંગ દરમિયાન ગામથી દૂર એક ઢાળ પર સરપંચે કાબૂ ગૂમાવતા આખુ ટ્રેક્ટર ઢાળમાં ધસી પડ્યું હતું જેમાં સરપંચ સહિત 14 લોકોના મોત નિપજ્યા હતા.
ઘટના ઘટતા જ તાત્કાલિક 108ને ફોન કરીને બોલાવી લેવામાં આવી હતી તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઇજા પામેલા લોકોનું મોત નિપજ્યું હતું. બાકીના ઇજાગ્રસ્ત લોકોને હિમ્મતનગર સિવિલ હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
નરેન્દ્ર મોદીએ આજે આ ગોજારા અકસ્માત અંગે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શોક વ્યક્ત કર્યો હતો, તેમજ મૃતકોના પરિવારજનોને 1-1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેમજ તેઓ પોતે મૃતકના પરિવારો અને ઇજાગ્રસ્તોને મળવા જશે.

ભિલોડા પાસે એક્સિડેન્ટમાં 14ના મોત, મોદી જશે મળવા
ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા કુંડોલપાલ ગામે શુક્રવારે વહેલી સવારે ગોજારો અકસ્માત સર્જાયો હતો, જેમાં એક સાથે એક જ ગામના 14 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 35 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
|
ભિલોડા પાસે એક્સિડેન્ટમાં 14ના મોત, મોદી જશે મળવા
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનોને મળવા પણ જવાના છે. ઉપરાંત મૃતકોના પરિવારજનોને 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી છે.
|
ભિલોડા પાસે એક્સિડેન્ટમાં 14ના મોત, મોદી જશે મળવા
નરેન્દ્ર મોદીએ આજે આ ગોજારા અકસ્માત અંગે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શોક વ્યક્ત કર્યો હતો, તેમજ મૃતકોના પરિવારજનોને 1-1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેમજ તેઓ પોતે મૃતકના પરિવારો અને ઇજાગ્રસ્તોને મળવા જશે.
|
ભિલોડા પાસે એક્સિડેન્ટમાં 14ના મોત, મોદી જશે મળવા
ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા કુંડોલપાલ ગામે શુક્રવારે વહેલી સવારે ગોજારો અકસ્માત સર્જાયો હતો, જેમાં એક સાથે એક જ ગામના 14 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 35 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનોને મળવા પણ જવાના છે. ઉપરાંત મૃતકોના પરિવારજનોને 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
