Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rathyatra Live: નિજ મંદિરે પરત ફર્યા ભગવાનના રથ

Rathyatra Live: કોરોનાના નિયમો સાથે નિકળી રથયાત્રા, ખાડિયાથી આગળ પહોંચી

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા વહેલી સવારે 4 વાગ્યાથી શરૂ થઈ છે. ભગવાન જગન્નાથજીની વહેલી સવારમાં થતી મંગળા આરતીમાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા, તેમની સાથે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ મંગળા આરતીમાં ઉપસ્થિત રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્તાન કરાવ્યું હતું. તેમની સાથે નીતિન પટેલ, પ્રદિપ સિંહ જાડેજા સહિતના લોકો હાજર રહ્યા હતા. જણાવી દઈએ કે રાજ્ય સરકારે રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ લગાવી રથયાત્રા યોજવા મંજૂરી આપી દીધી છે.

Rathyatra Live:

Jul 12, 2021, 11:00 am IST

નિજ મંદિરે પરત ફર્યા ભગવાનના રથ
Jul 12, 2021, 10:03 am IST

અરવલ્લી: મોડાસા અને બાયડમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારી. મંદિર પરિસરમાં નિકળશે જગન્નાથજીની રથયાત્રા. ભક્તો માટે દર્શન કરવાની વિશેષ વ્યવસ્થા કરાઇ. સાદગીપૂર્વક દર્શન અષાઢી બીજની ઉજવણી. મંદિર ખાતે પૉલિસના જવાનોને તૈનાત કરાયા
Jul 12, 2021, 9:15 am IST

સવારે 9:05 વાગે જગન્નાથજીનો રથ દરિયાપુર પહોંચ્યો
Jul 12, 2021, 8:47 am IST

ઈતિહાસમાં પહેલીવાર ભગવાન જગન્નાથની રથ યાત્રા આટલી જલદી પરત પહોંચી છે.
Jul 12, 2021, 8:46 am IST

ભગવાન જગન્નાથની રથયાત્રા સરસપુરથી નીજ મંદિર પરત ફરી રહી છે.
Jul 12, 2021, 8:44 am IST

સરસપુરમાં ત્રણેય ભાણેજોને મામેરું અર્પણ કરવામાં આવી રહ્યું છે.
Jul 12, 2021, 8:34 am IST

કોરોના ગાઈડલાઈન અંતર્ગત વધુ ભીડ એકઠી ન થાય તે માટે લોકોને આ રથયાત્રામાં જોડાવવાની મનાઈ ફરમાવવામાં આવી છે અને રથયાત્રાના સમગ્ર રૂટ પર કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે.
Jul 12, 2021, 8:33 am IST

સરસપુરમાં ભગવાન જગન્નાથના મામેરાની તૈયારી શરૂ કરાઈ છે.
Jul 12, 2021, 8:28 am IST

ભગવાાન જગન્નાથની રથયાત્રા સરસપુર પહોંચી
Jul 12, 2021, 8:20 am IST

જગન્નાથજીનો રથ ખાડીયા પહોંચ્યો, 5 મિનિટનો વિરામ
Jul 12, 2021, 8:19 am IST

જગન્નાથજીનો રથ રાયપુર પહોંચ્યો
Jul 12, 2021, 8:19 am IST

જગન્નાથજીનો રથ આસ્ટોડિયા પહોંચ્યો
Jul 12, 2021, 8:19 am IST

સવારે 7.33 વાગે જગન્નાથજીનો રથ ખમાસા પહોંચ્યો
Jul 12, 2021, 8:19 am IST

સવારે 7.32 વાગ્યે રથ કોર્પોરેશન તરફ આગળ વધ્યા
Jul 12, 2021, 8:19 am IST

સવારે 7.27 વાગ્યે જમાલપુર અંજુમન સ્કૂલ પાસે રથયાત્રા પહોંચી
Jul 12, 2021, 8:19 am IST

સવારે 7.25 વાગ્યે રથયાત્રા જમાલપુરથી બહાર નીકળી
Jul 12, 2021, 8:18 am IST

સવારે 7.19 વાગ્યે જમાલપુર દરવાજાથી રથયાત્રા આગળ વધી
Jul 12, 2021, 8:18 am IST

અમિત શાહ, પ્રદિપસિંહ જાડેજાએ ભગવાન જગન્નાથની આરતી ઉતારી
Jul 12, 2021, 8:17 am IST

સવારે 7.15 વાગ્યે રથયાત્રા જમાલપુર દરવાજા પહોંચી
Jul 12, 2021, 8:17 am IST

સવારે 7.10 વાગ્યે ત્રણેય રથનું મંદિરની બહાર પ્રસ્થાન કરવામાં આવ્યું
Jul 12, 2021, 8:17 am IST

સવારે 7.06 વાગ્યે રથનું પ્રસ્થાન કરાવ્યું
Jul 12, 2021, 8:17 am IST

સવારે 7.05 વાગ્યે મુખ્યમંત્રીએ પહિંદ વિધી કરી
Jul 12, 2021, 8:17 am IST

સવારે 7.00 વાગ્યે મુખ્યમંત્રી પહિંદ વિધિ માટે પહોંચ્યા
Jul 12, 2021, 8:17 am IST

સવારે 6.57 વાગ્યે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મંદિરે પહોંચ્યા
Jul 12, 2021, 8:16 am IST

સવારે 6.47 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી મંદિરે પહોંચ્યા
Jul 12, 2021, 8:16 am IST

સવારે 6.42 વાગ્યે ગજરાજને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા
Jul 12, 2021, 8:16 am IST

સવારે 6.40 વાગ્યે ભગવાનના રથને પ્રતિકાત્મક માસ્ક પહેરાવવામાં આવ્યા
Jul 12, 2021, 8:16 am IST

સવારે 6.32 વાગ્યે રાજ્યસભાના સાંસદ નરહરિ અમીને પરિવાર સાથે ભગવાનના દર્શન કર્યા
Jul 12, 2021, 8:16 am IST

સવારે 6.22 વાગ્યે ભાઈ બળભદ્રને તાલધ્વજ રથમાં બિરાજમાન કરાયા
Jul 12, 2021, 8:15 am IST

સવારે 6.15 વાગ્યે બહેન સુભદ્રાને કલ્પધ્વજ રથમાં બિરાજમાન કરાયા
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X