15 july Covid Update : વરસાદ વચ્ચે વકર્યો કોરોના, દેશમાં 20,038 કેસ અને47 મોત નોંધાયા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ગુરુવારના રોજ અપડેટ કરાયેલા ડેટા અનુસાર, ભારતમાં દૈનિક કોવિડ-19 કેસ 145 દિવસના અંતરાલ બાદ 20,000 થી વધુ નોંધાયા હતા, જ્યારે સક્રિય કેસ વધીને 1,36,073 થયા હતા.
15 july Covid Update : ગુજરાતમાં ગુરૂવારના રોજ કોરોના સંક્રમણના 737 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 687 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. આ સાથે અમદાવાદમાં 1 કોવિડ સંબંધિત મોત નોંધાયું હતું.

કચ્છમાં 17 કેસ નોંધાયા
આ સાથે જો જિલ્લામાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 306 કેસ, સુરતમાં 93 કેસ, વડોદરામાં 63કેસ, ભાવનગરમાં 36 વડોદરામાં 45 કેસ, મહેસાણામાં 28 કેસ, ગાંધીનગરમાં 44 કેસ, રાજકોટમાં 30 કેસ, કચ્છમાં 17 કેસ નોંધાયા છે.

જામનગરમાં 11 કેસ નોંધાયા
જામનગર, મોરબી, નવસારી અને વલસાડમાં 11 કેસ, ભરૂચમાં 8 કેસ, બનાસકાંઠામાં 6 કેસ, આણંદ અને ખેડા 5-5 કેસ, દેવભૂમિ દ્વારકાઅને સુરેન્દ્રનગરમાં 4-4 કેસ નોંધાયા છે.

આ જિલ્લામાં નોંધાયા 2-2 કેસ
ગીર સોમનાથ, પોરબંદર અને સાબરકાંઠામાં 3-3 કેસ નોંધાયા છે. આ સાથે અરવલ્લી, પંચમહાલ અને તાપીમાં 2-2 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 4274 થઇ
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,951 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,25,263 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા4274 થઇ છે. જેમાંથી 3 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.

કુલ 11,20,56,649 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.77 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 65,829 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,20,56,649 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

15 july ની અમદાવાદ કોરોના અપડેટ
અમદાવાદના શહેરી વિસ્તારમાં 299 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદ શહેરી વિસ્તારમાં 1 વ્યક્તિનું મોત થયું હતું.
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 7 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે શહેરી વિસ્તારમાં 306 લોકો કોરોના મુક્ત થયા છે.
તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 6 રિકવરી નોંધાઇ છે. જો રસીકરણની વાત કરવામાં આવે તો, અમદાવાદ શહેરી વિસ્તારમાં 3335 અનેઅમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 1133 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

15 july ની રાજકોટ કોરોના અપડેટ
રાજકોટના શહેરી વિસ્તારમાં 15 કેસ નોંધાયા હતા. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 15 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ સાથેશહેરી વિસ્તારમાં 20 રિકવરી નોંધાઇ છે, આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 12 રિકવરી નોંધાઇ છે.
જો રસીકરણની વાત કરવામાં આવે તો,રાજકોટ શહેરી વિસ્તારમાં 2092 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 1774 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

15 july ની ભારત કોરોના અપડેટ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ગુરુવારના રોજ અપડેટ કરાયેલા ડેટા અનુસાર, ભારતમાં દૈનિક કોવિડ-19 કેસ 145 દિવસના અંતરાલ બાદ20,000 થી વધુ નોંધાયા હતા, જ્યારે સક્રિય કેસ વધીને 1,36,073 થયા હતા.
છેલ્લા 24 કલાકના ગાળામાં કોરોના સંક્રમણના કુલ 20,038નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે 47 કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયા છે.

કોરોના સંક્રમણને કારણે 47 મૃત્યુ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં થયેલા 47 મૃત્યુમાં કેરળના 20, પશ્ચિમ બંગાળના પાંચ, મહારાષ્ટ્રના ચાર, પંજાબના ત્રણ, આસામ, બિહાર, હરિયાણાઅને ઉત્તરાખંડના બે-બે અને દિલ્હી, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, નાગાલેન્ડ અને સિક્કિમમાં એક-એકનો સમાવેશ થાય છે.

આજથી તમામ પુખ્ત વયના લોકોને મળશે મફત કોવિડ બૂસ્ટર ડોઝ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું હતું કે, લાયક પુખ્ત વસ્તીમાં કોવિડ રસીની સાવચેતીભરી માત્રા (કોવિડબૂસ્ટર ડોઝ)માં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે, 75 દિવસ - 'કોવિડ રસીકરણ અમૃત મહોત્સવ' શુક્રવારથી શરૂ થશે.












Click it and Unblock the Notifications
