સ્તનપાનને વધુ સુદ્રઢ કરવા-કામકાજ કરતાં માતાપિતા માટે યોગ્ય સુવિધા અને વાતાવરણ પૂરું પાડવાની થીમ સાથે ઉજવાશે
સ્તનપાન અંગે જાગૃતિ લાવવાના આશયથી વિશ્વભરમાં પ્રતિ વર્ષ તા.૧ થી ૭ ઓગસ્ટ સુધી સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ સપ્તાહની ઉજવણીનું આયોજન વર્લ્ડ એલાયન્સ ફોર બ્રેસ્ટફીડિંગ એક્શન (WABA) દ્વારા ૧૯૯૦-૯૧માં કરવાનું નિયત કરાયું હતું. વાબા, માતાઓને સ્તનપાન માટે વધુ જાગૃત કરવા પ્રોત્સાહિત કરે છે. વાબા દ્વારા પ્રથમ વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીનું આયોજન, વર્ષ ૧૯૯૦-૯૧માં સત્તાવાર રીતે કરવામાં આવ્યું હતું જેમાં ૭૦ દેશોએ નવી પહેલની ઉજવણી કરી હતી અને આજે વાબામાં કુલ ૧૭૦ દેશોની ભાગીદારી નોંધાઈ છે.

વાબા (WABA) દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહ વર્ષ ૨૦૨૩ની થીમ "સ્તનપાનને સુદ્રઢ કરવા-કામકાજ કરતાં માતાપિતા માટે યોગ્ય સુવિધા અને વાતાવરણ પૂરું પાડવું" નિયત કરવામાં આવી છે ("Let's make breastfeeding and work, work!"). જેનો મુખ્ય ઉદ્દેશ યોગ્ય સુવિધાઓ સાથે કાર્યસ્થળોમાં મહિલાઓને સમર્થન આપવા વ્યાપક જાગૃતિ માટે કાર્યવાહી કરવી, માતાઓને પ્રસુતિ અધિકારો અને અન્ય સહાયક પગલાં વિશે માહિતગાર કરવા માટે હાલની યોજનાઓને વધુ મજબૂત કરવા જેવા વિષયો આવરી લેવાયા છે. જેથી વ્યવસાયિક માતાઓને સક્ષમ બનાવી શકાય.
સ્તનપાન સપ્તાહ વર્ષ ૨૦૨૩ દરમિયાન રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલિત બાળ વિકાસ યોજના સેવાઓ (આઈ.સી.ડી.એસ) દ્વારા આંગણવાડીઓમાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. જેમાં સ્તનપાનને સમર્થન આપવા માટે આશરે ૧૮ લાખથી વધુ નાગરિકો પ્રતિજ્ઞા લેશે, આશરે ૭ લાખ સગર્ભા અને ધાત્રી માતાઓ સાથે સુપોષણ સંવાદ (મધર્સ ગ્રુપ મીટિંગ્સ), જન્મના એક કલાકની અંદર ધાત્રી માતાએ સ્તનપાન કરાવવા અંગે તેના પરિવારની આશરે ૨૭ લાખથી વધુ મહિલાઓ સાથે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ વિવિધ ગામોની ડેરીઓના ૩૬ લાખ સહકારી સભ્યો સાથે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માતા અને નવજાત શિશુ માટે સ્તનપાનના ફાયદા, કુટુંબ(ખાસ કરીને પુરુષો) કેવી રીતે માતા દ્વારા સફળ સ્તનપાન કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તે માટેની જાગૃતતા, ૬ માસ સુધી ફક્ત સ્તનપાનથી કુટુંબને શું ફાયદા થાય તે વિષે ગ્રામજનોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
આંગણવાડી કાર્યકરો દ્વારા ગ્રામજનોને વિશિષ્ટ સ્તનપાન અને તેનું મહત્વ, બાળક પર કોઈ પણ અન્ય પાવડર અથવા ફોર્મ્યુલા દૂધના ઉપયોગથી થતી ખરાબ અસર, સ્તનપાન માટે માતા અને બાળકને મદદ કરવામાં પરિવારના સભ્યોની ભૂમિકા વિષે વિવધ જિલ્લાઓના આંગણવાડી કેન્દ્રો પર પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્તનપાન અંગે જાગૃતતા કેળવાય તે માટેનો મુખ્ય ઉદ્દેશ સ્તનપાનની વહેલી શરૂઆત, નવજાત બાળક અને માતા માટે છ મહિના સુધીનું વિશિષ્ટ સ્તનપાન અને કુટુંબના સભ્યો માતાને માનસિક રીતે ટેકો આપી શકે તે વિશે વિવિધ સમુદાયોમાં જાગૃતિ લાવવાનો છે. જે માટે સમગ્ર રાજ્યમાંથી આશરે એક કરોડથી વધુ નાગરિકોને આવરી લેવામાં આવશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
