મુખ્યમંત્રી અને પૂર્વ વિધાનસભા અધ્યક્ષો પ્રોટોકોલ મુજબ પહેલા લેશે શફથ
ગુજરાત વિધાનસભમાં આજે નવા ચૂયાયેલા ધારાસભ્યોના શપથગ્રહણ થશે ત્યાર બાદ નવા ગૃહના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની નિમણૂંક કરવામાં આવશે. જ્યારે ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની નિમણૂં કરવામાં આવશે.
ગુજરાત વિધાનભાની અંદર આજે 182 ધારાસભ્યોને પ્રોટેમ સ્પીકર શપથ લેવાડાવશે ગૃહના પ્રોટોલોક મુજબ ત્રણ કલાક સુધી આ શપથવિધિ ચાલશે. 15 મી ગુજરાત વિધાનસભાની રચના થઇ ગઇ છે. સોમારે રાજભવનમાં આઠમી વખત ચૂંટાયેલા માંજલપુરના યોગેશ પટેલને ધારાસબ્ય તરીકે તરીકે પદ અને ગોપનિયતાના સોંગદ લેવડાવીને તેમને પ્રોટેમ સ્પિકર અધ્યક્ષ તરીકે અન્યને શફથ લેવડાવશે.

આજે 12 વાગે ગુજરાત વિધાનસભાની સર્વપ્રથમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વકાળમાં અધય્ક્ષ રહેલા રમણલાલ વોરા, ગણપત વસાવાને કર્તવ્ય નિષ્ઠા માટે સોંગદ લેવડાવશે. પ્રોટોકોલ મુજબ પદાધિકારીઓ બાદ કેબિનેટ મંત્રીઓ, વિપક્ષના નેતાઓ, નિયુક્ત થયા હો તો તે પછી રાજ્યક્ષાના મંત્રીઓ, દંડકો, મહિલા ધારાસભ્યોની સોંગદવિધી થશે. ત્યારબાદ મતક્ષેત્રના ક્રમ અનુસાર પ્રથમ ક્રમાંકે કચ્છના અબડાસાથી શરુ કરીને એક પછી એક એમ તમામને પ્રોટેમ સ્પિકર સોંગદ લેવડાશે. જેના માટે ત્રણ કલાક સુધીનો સમય નિર્ધારીત કવરામાં આવશે. સોમવારે આ શપથવિધી બાદ મંગળવારે 15 મી વિધાનસભાની અધિકૃત રચનાની જાહેરાત સાથે પ્રથમ સત્રના આરંભ અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની નિમણૂંક કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
