Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

633 કરોડના ખર્ચે બનાસકાંઠાના 192 ગામને મળશે પીવાનું શુદ્ધ પાણી

Banaskantha: સરહદી જિલ્લા બનાસકાંઠામાં પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકાર દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છે.

27 સપ્ટેમ્બર, 2024 ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડીસા અને લાખણી તાલુકાના ગામોની જૂથ પાણી પુરવઠા યોજના ફેઝ - 1 થી 4ના તથા રાણકપુર ઓફટેક આધારિત પાણી પુરવઠાની સુધારણા યોજનાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

કુલ રૂપિયા 633 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બે યોજનાઓનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થવાથી ડીસા અને લાખણી તાલુકાના કુલ 88 ગામ તેમજ કાંકરેજ અને દિયોદરના કુલ 104 ગામ અને થરા શહેરને શુદ્ધ પીવાના પાણીનો લાભ મળી રહેશે.

બનાસકાંઠા જિલ્લાના નર્મદા મુખ્ય નહેરના દેવપુરા, તાલુકો વાવ ઓફટેક આધારીત ડીસા અને લાખણી તાલુકાના કુલ 88 ગામોનો સમાવેશ થાય છે. જેમાં ડીસા તાલુકાના 51 ગામ અને લાખણી તાલુકાના 37 ગામ છે.

જ્યારે બીજી પાણી પુરવઠા યોજના રાણકપુર ઓફટેક સુધારણા યોજના હેઠળ કાંકરેજ અને દિયોદર તાલુકાના કુલ 104 ગામ અને થરા શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કાંકરેજ તાલુકાના 80 ગામ, દિયોદર તાલુકાના 23 ગામ, લાખણી તાલુકાના 01 ગામ તથા થરા શહેરનો સમાવેશ થયો છે.

Chief Minister Bhupendrabhai Patel

ડીસા, લાખણી, કાંકરેજ અને દિયોદર તાલુકાના ગામ પાતાળ કુવા આધારીત, સ્વતંત્ર બોર આધારીત વ્યક્તિગત પાણી પુરવઠા યોજના મારફત પાણી મેળવે છે.

આ ગામના પાતાળ કુવાઓના પાણીનું સ્તતર દિન-પ્રતિદિન નીચા ઉતરતા જતા હોઇ તથા આ વિસ્તારમાં પાણીના દ્રાવ્ય ક્ષારો જેવાં કે ફ્લોરાઈડ, નાઇટ્રેટ તથા સેલીનીટીનું પ્રમાણ વધુ હોઇ પીવાના પાણીની સમસ્યા હતી.

જ્યારે વર્ષો વર્ષ ઓછા વરસાદના કારણે ભુગર્ભ જળના તળ નીચે જવાથી પાણીની ગુણવત્તાયુકત ન હોઇ, વિશ્વસનિય સ્ત્રોત તરીકે નર્મદા મુખ્ય નહેરની તાતી જરૂરિયાત હતી.

ગુજરાત સરકાર દ્વારા આ સમસ્યાને ગંભીરતાથી લઈ કરોડો રૂપિયાના ખર્ચે બે પાણી પુરવઠા યોજના અમલમાં મૂકવામાં આવી હતી.

બનાસકાંઠા જિલ્લાના ડીસા, લાખણી, કાંકરેજ અને દિયોદર તાલુકાના ગામડાઓ અને થરા શહેરને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા દ્વારા દેવપુરા-વાવ ઓફટેક અને રાણકપુર ઓફટેક સુધારણા યોજના વર્ષ 2020માં તૈયાર કરવામાં આવી હતી.

જે યોજનાની કામગીરી પૂર્ણ થતાં તેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થશે. જે લોકાર્પણ થતાં નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થશે.

પાણી પુરવઠાની બે યોજનામાં નર્મદા કેનાલના પૂર્વ ભાગમાં આવેલ કુલ 192 ગામની કુલ 7 લાખ નાગરિકો માટે દૈનિક 6.40 કરોડ લીટર પીવાનું પાણી વિતરણ કરી શકાશે. આ બંને યોજના માટે કુલ 5 ફેઝની કામગીરીનું આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે.

દેવપુરા ઓફ્ટેક યોજના

  • આગથળા ખાતે 29 એમ.એલ.ડી જળ શુદ્ધિકરણ પ્લાન્ટ
  • આખોલ 50 એમ.એલ.ડી જળ શુધ્ધીકરણ પ્લાન્ટ
  • 208.57 કિલોમીટર લાંબી મેટાલિક પાઇપ
  • 360.54 કિલોમીટર લાંબી નોન મેટાલિક પાઇપ
  • હેડ વર્કસ ખાતે 5.92 કરોડ લીટર ક્ષમતાવાળા
  • 10 ભૂગર્ભ સંપ
  • હેડ વર્કસ ખાતે કમ્પાઉન્ડ વોલ અને સર્વિસ રોડ
  • ઓપરેટિંગ યુનિટ અને સિક્યુરિટી કેબિન

રાણકપુર ઓફ્ટેક યોજના

  • 57.81 કિલોમીટર લાંબી રાઇઝિંગ મેઈન પાઇપલાઇન
  • 207.3 કિલોમીટર લાંબી ડિસ્ટ્રીબ્યુશન ગ્રેવીટી પાઇપલાઇન
  • 1.46 કરોડ લીટરની ક્ષમતાવાળા પાંચ ભૂગર્ભ સંપ
  • યોજના તળે જુદા જુદા હેડ વર્કસ પમ્પિંગ મશીનરી
  • કમ્પાઉન્ડ વોલ, સર્વિસ રોડ, સ્ટાફ ક્વાર્ટરની સુવિધાઓ
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X