Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હંજરાપર ગામને પાટીયે કરન્ટ લાગવાથી 2 ગાયના મૃત્યુ, PGVCL ઊંઘતું ઝડપાયું

ખંભાળિયા-દ્વારકા હાઈવે પર આવેલા હંજરાપર ગામના પાટીયે કરન્ટ વાગવાથી બે અબોલ પશુનાં મૃત્યુ થયાં છે. આજે 26 સપ્ટેમ્બરને મંગળવારે વહેલી સવારે સાડા સાત વાગ્યાના અરસે આ ઘટના બની છે. ઘટના બન્યાના 3 કલાક પછી પણ આ અબોલ પશુના મૃતદેહ રોડ કાંઠે હજી એમનમ પડ્યા હતા અને પીજીવીસીએલ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

hanjdapar

ગ્રામજનો સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે, ઘટના બન્યા પછી પીજીવીસીએલની એક ગાડી અહીંથી નીકળી હતી, અમોએ હાથ ઉંચો કર્યો છતાં તેમણે ગાડી ના રોકી અને હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનોનું કહેવું છે કે વારંવાર કહેવા છતાં પીજીવીસીએલના અધિકારીઓએ આ અંગે કંઈ ધ્યાન દોર્યું નહીં જેને પગલે આજે બે ગાયના જીવ ગયા.

પીજીવીસીએલના અધિકારી પઠાણ સાહેબ જોડે વાત થતાં તેમણે નેશનલ હાઈવે પર આરોપની ટોપી પહેરાવવાની કોશિશ કરી, તેમણે કહ્યું કે ટ્રાન્સફોર્મર યોગ્ય ઉંચાઈએ જ હતું પરંતુ હાઇવે બન્યો હોવાથી ભરતી કરી હોવાથી ઉંચાઈ ઘટી ગઈ છે.

જો કે દોષનો પોટલો નેશનલ હાઇવે પર ઠાલવવાનો પ્રયત્ન કરતા પઠાણ સાહેબે ઘટના સ્થળે આવીને હકીકત તપાસવાનો પ્રયત્ન શુદ્ધાં કર્યો નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X