For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં 28,000 હીરા કામદારો નોકરી ગુમાવી ચૂક્યા છે, કંઈક આવી અપીલ

વૈશ્વિક મંદીથી ભારતીય અર્થવ્યવસ્થાને ભારે નુકસાન પહોંચ્યું છે. તેના કારણે લાખો લોકોની નોકરી છીનવાઈ છે. જોકે, સેંકડો કંપનીઓ છૂટા કરવામાં લાગેલી છે.

|
Google Oneindia Gujarati News

વૈશ્વિક મંદીથી ભારતીય અર્થવ્યવસ્થાને ભારે નુકસાન પહોંચ્યું છે. તેના કારણે લાખો લોકોની નોકરી છીનવાઈ છે. જોકે, સેંકડો કંપનીઓ છૂટા કરવામાં લાગેલી છે. ગુજરાતમાં સેંકડો ફાઉન્ડ્રી યુનિટ અટક્યા છે. જ્યારે હીરા ઉદ્યોગ અને ઓટોમોબાઈલ કંપનીઓ પણ બંધ થઈ રહી છે. ડાયમંડ સિટી સુરતમાં જાણે હીરાના કામદારો પર કહેર છવાયો છે. અહીં 28000 ડાયમંડ કામદારોનો રોજગાર છીનવાયો છે. ડાયમંડ વર્કર્સ યુનિયનના જણાવ્યા અનુસાર, છેલ્લા 4 મહિનામાં આ હજારો લોકો બેરોજગાર બન્યા હતા. જો સરકાર કોઈ પગલું નહીં ભરે તો ટૂંક સમયમાં આ સંખ્યા 50 હજારથી વધુ થઈ જશે.

ગુજરાતમાં હીરાના 28,000 કામદારોએ રોજગાર ગુમાવ્યો

ગુજરાતમાં હીરાના 28,000 કામદારોએ રોજગાર ગુમાવ્યો

કામદાર સંઘના પ્રમુખ રણમલ જિલેરિયાએ જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગ અને ફાઉન્ડ્રી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો વધુ મુશ્કેલીમાં છે. અમે સરકારમાં સતત મદદની વિનંતી કરી રહ્યા છીએ, પરંતુ હજી સુધી સુનાવણી થઈ નથી. સરકાર જલ્દીથી કંઇ કરશે નહીં તો, બેરોજગાર હીરા કામ કરનારાઓની સંખ્યા 50 હજારને વટાવી જશે. જો કે, જ્યારે ફાઉન્ડ્રી એકમો સ્થિર થશે ત્યારે લાખો લોકો તેમની નોકરી ગુમાવશે.

450 લોકોની નોકરી છીનવ્યા બાદ કંપની બંધ

450 લોકોની નોકરી છીનવ્યા બાદ કંપની બંધ

હીરાની મોટી કંપનીઓ પર તાળા લાગવાનું શરુ થઇ ગયું છે. અહીં એકે રોડ પર સ્થિત ગોધાની ઈમ્પેક્સ તેના માલિકો દ્વારા બંધ કરવામાં આવી છે. ગોધાની ઇમ્પેક્સે શનિવારે 250 હીરા કામદારોને નોકરી માંથી છૂટા કર્યા હતા. ત્યારબાદ બે દિવસ પછી સોમવારે, વધુ 200 કામદારોને છૂટા કરવામાં આવ્યા. એટલે કે, 450 થી વધુ લોકો બેરોજગાર બન્યા. તે લોકો હવે ભટકી રહ્યા છે. જ્યારે, સરકાર આ મામલે મૌન છે.

અહીં 2 હજારથી વધુ ફાઉન્ડ્રી એકમો મુશ્કેલીમાં મુકાયા છે

અહીં 2 હજારથી વધુ ફાઉન્ડ્રી એકમો મુશ્કેલીમાં મુકાયા છે

હીરા ઉદ્યોગ ઉપરાંત રાજ્યમાં કાર્યરત 2 હજારથી વધુ ફાઉન્ડ્રી એકમો પણ પતનની ધાર પર છે. આ ફાઉન્ડ્રીમાં ચાર લાખથી વધુ કર્મચારીઓ છે. કર્મચારીઓને તેમની નોકરી ગુમાવવાનો ભય સતાવી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, દેશભરમાં 6 હજાર ફાઉન્ડ્રી કાર્યરત છે. એકલા ગુજરાતમાં 2 હજારથી વધુ ફાઉન્ડ્રી છે. ગુજરાતની જેમ તેને અન્ય રાજ્યોમાં પણ બંધ થઇ શકે છે.

ઓટો કંપનીઓએ ઉત્પાદન ઘટાડ્યું

ઓટો કંપનીઓએ ઉત્પાદન ઘટાડ્યું

ફાઉન્ડ્રી ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વાહનના વેચાણમાં ઘટાડો થતાં ઓટો કંપનીઓએ ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે. પરિણામે, ફાઉન્ડ્રી એકમો પણ સંકટમાં છે.

આ પણ વાંચો: દેશમાં મંદીના કારણે ગુજરાતના 4 લાખ લોકોની નોકરી પર સંકટ

English summary
28,000 diamond workers have lost their jobs in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X