દાહોદ: મહાકુંભથી પરત આવતા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, 4નાં મોત, 8 ઈજાગ્રસ્ત

પ્રયાગરાજ ખાતે મહાકુંભ ચાલી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં લોકો મહાકુંભમાં ડૂબકી લગાવવા માટે પહોંચી રહ્યા છે, મહાકુંભમાં અમૃત સ્નાન કરીને પરત ફરી રહેલા ગુજરાતીઓને દાહોદ પાસે અકસ્માત નડ્યો છે. આ અકસ્માત એટલો ગંભીર હતો જેમાં ચાર લોકોના મોત થયા છે, અને આઠ લોકો ઘાયલ થયા છે.

અકસ્માતની મળતી માહિતી અનુસાર, ટ્રક અને ટેમ્પો ટ્રાવેલર વચ્ચે આ ભયંકર અકસ્માત થયો હતો. રસ્તા પર ઊભેલી ટ્રકને પાછળથી ટેમ્પો ટ્રાવેલરે જોરદાર ટક્કર મારી દીધી હતી, આ દુર્ઘટનામાં અંકલેશ્વરના અને ધોળકાના પરિવારને અકસ્માત નડ્યો હતો.

અકસ્માતમાં ઘાયલોને સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. જયારે મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે લીમખેડા લઈ જવામાં આવ્યા છે. પ્રયાગરાજ મહાકુંભ મેળામાંથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ટ્રાવેલર રસ્તા પર ઉભેલા ટ્રક સાથે અથડાઈ ગઈ હતી, જેમાં ચાર શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા, જયારે આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા.

roadaccidentindahod

અકસ્માતમાં ઘાયલોને સારવાર માટે તાત્કાલિક દાહોદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જયારે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લીમખેડા લઈ જવામાં આવ્યા. સમગ્ર અકસ્માત મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

અકસ્માતને કારણે મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. મળતી માહિતી અનુસાર, ટ્રાવેલરમાં 15 લોકો મુસાફરી કરી રહ્યા હતા, તે સમયે ડ્રાઈવરને અચાનક ઝોકુ આવી ગયુ હતું, જેના કારણે સમગ્ર બનાવ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X