નર્મદા ડેમમાં 4 લાખ ક્યુસેક પાણીની આવક, ડેમના 15 દરવાજા ખોલી 3 લાખથી વધુ ક્યુસેક પાણી છોડાયું
Sardar Sarovar Dam: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 4,10,483 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમની સપાટી 136.47 મીટર પર પહોંચી છે. 24 કલાકમાં ડેમની સપાટીમાં 10 સેમીનો વધારો થયો છે. નર્મદા ડેમના 15 દરવાજા 2.4 મીટર ખોલાયા છે. ડેમના 15 દરવાજા ખોલી 3 લાખથી વધુ ક્યુસેક પાણી છોડાયું છે. નર્મદા નદી બે કાંઠે વહેતા 27 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો
Narmada Dam: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 4,10,483 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમની સપાટી 136.47 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમમાં 24 કલાકમાં 10 સેમીનો વધારો થયો છે. નર્મદા ડેમના 15 દરવાજા 2.4 મીટર ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમના 15 દરવાજામાંથી નર્મદા નદીમાં 3,18,797 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા નદી બે કાંઠે વહેતા તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે.
નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ આ સીઝનમાં 90 ટકા ભરાયો છે. નર્મદા નદી કાંઠા વિસ્તાર ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ 90 ટકા ભરાયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. ડેમ 90 ટકા ભરાતા રૂલ લેવલ જાળવવા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.












Click it and Unblock the Notifications
