દરિયામાં બેટ પર ફસાયેલા 46 પરિક્રમાવાસીઓને બચાવાયા
ભરુચ જિલ્લામાં નર્મદા પરિક્રમા કરી રહેલ 46 જેટલા પરિક્રમાવાસીઓ હાંસોટ-દહેજ દરિયામાં બેટ પર ફસાયા હતા....
ભરુચ જિલ્લાના દહેજમાં નર્મદા પરિક્રમા કરી રહેલ 46 જેટલા પરિક્રમાવાસીઓ હાંસોટ-દહેજ દરિયામાં બેટ પર ફસાયા હતા. તેઓને તંત્રની મદદથી બચાવી લેવામાં આવ્યા છે.

સાંજે 4.30 વાગ્યાથી ફસાયેલા બધા પરિક્રમાવાસીઓ સતત 10 કલાકથી વધુ બોટમાં રહ્યા બાદ તેઓનો આબાદ રીતે બચાવ થયો હતો. તમામ પરિક્રમાવાસીઓને જાગેશ્વરના હરિ મહારાજ આશ્રમ ખાતે મેડીકલ ટ્રીટમેંટ આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે નર્મદા એક પવિત્ર નદી હોવાથી દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ નર્મદાની પરિક્રમા કરવા માટે જતા હોય છે.












Click it and Unblock the Notifications
