ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવમાં 5.72 લાખ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો!
રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ– શાળા પ્રવેશોત્સવ 23 જૂનથી 25 જૂન દરમિયાન યોજાયો હતો. આ ત્રિ દિવસીય કાર્યક્રમમાં ૫ લાખ ૭૨ હજાર બાળકોએ ધોરણ-૧માં પ્રવેશ મેળવ્યો છે. જ્યારે, ર,૩૦ લાખ બાળકોએ આંગણવાડીમાં પ્રવેશ લીધો હતો.
રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ– શાળા પ્રવેશોત્સવ 23 જૂનથી 25 જૂન દરમિયાન યોજાયો હતો. આ ત્રિ દિવસીય કાર્યક્રમમાં ૫ લાખ ૭૨ હજાર બાળકોએ ધોરણ-૧માં પ્રવેશ મેળવ્યો છે. જ્યારે, ર,૩૦ લાખ બાળકોએ આંગણવાડીમાં પ્રવેશ લીધો હતો.

શિક્ષણમંત્રી જીતુ વાઘાણી શાળા પ્રવેશોત્સવ અને ક્ન્યા કેળવણી અંગે માહિતી આપતાં જણાવ્યું હતુ કે, રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન રાજ્યના 22 હજારથી વધુ ગામોની પ્રાથમિક શાળાઓને આ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવામાં આવી હતી. શિક્ષણની ગુણવત્તા સુધારણા સાથે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે શરૂ કરેલા કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવના જનઅભિયાનની ૧૭મી શૃંખલા સંપન્ન થઇ છે.
શિક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાની રાજ્ય સરકારની આ મુહિમને ખૂબ સારો જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે ત્યારે નાગરિકો દ્વારા આજે ત્રીજા દિવસે પણ અવિરત લોકસહકાર-દાન આપવામાં આવ્યુ છે. શાળા સંકુલોમાં માળખાગત સુવિધા વૃધ્ધિ માટે તેમજ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા સમાજ અગ્રણીઓ- સખાવતીઓએ આ અભિયાન દરમ્યાન દાનની જે સરવાણી વહાવી છે તે રૂ. ર૮.૫૩ કરોડ જેટલી થઈ છે. ત્રણ દિવસમાં રોકડ રૂ.૨.૫૪ કરોડ અને ચીજવસ્તુ સ્વરૂપમાં અંદાજે રૂ.૨૬ કરોડની રકમનો લોકસહકાર મળી અંદાજે રૂ.૨૮.૫૩ કરોડનો લોકસહકાર આ કાર્યક્રમ અંતર્ગત મળ્યો છે.
ત્રણ દિવસમાં રાજ્યની વિવિધ શાળાઓમાં મળી અંદાજે રૂ. ૨૫.૯૩ કરોડના ખર્ચે ૪૯૪ નવનિર્મિત ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત બે દિવસમાં રાજ્યભરમાં ૨૩૬૪ શાળામાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા શરૂ કરવામાં આવી છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
