5 july Covid Update : દેશમાં 11,793 કેસ અને 27 મોત નોંધાયા, જાણો આજની કોરોના અપડેટ
ગુજરાતમાં રવિવારના રોજ કોરોના સંક્રમણના 419 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 454 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
5 july Covid Update : ગુજરાતમાં રવિવારના રોજ કોરોના સંક્રમણના 419 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 454 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. આ સાથે મહેસાણામાં એક કોરોના દર્દીનું મોત થયું છે.
આ જિલ્લામાં નોંધાયા આટલા કેસ
આ સાથે જો જિલ્લામાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 155, સુરતમાં 98 કેસ, વડોદરામાં 40 કેસ,મહેસાણામાં 19 કેસ અને એક નોંધાયું હતું.
આ ઉપરાંત ભાવનગર અને ગાંધીનગરમાં 17-17 કેસ, મોરબી અને રાજકોટમાં 12-12 કેસ,વલસાડમાં 11 કેસ, ભરૂચ, કચ્છ અને નવસારીમાં 7-7 કેસ અને જામનગરમાં 6 કેસ નોંધાયા છે.
સુરેન્દ્રનગરમાં 3 કેસ નોંધાયા
સુરેન્દ્રનગરમાં 3 કેસ નોંધાયા હતા. પાટણ, આણંદ, પોરબંદર અને સાબરકાંઠામાં 2-2 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત તાપી અને દાહોદમાંએક-એક કેસ નોંધાયો છે.
1 ની હાલત ગંભીર
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,948 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,19,657 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા3512 થઇ છે. જેમાંથી 3 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.
કુલ 11,15,76,687 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.83 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 43,981 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,15,76,687 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
5 july ની અમદાવાદ કોરોના અપડેટ
અમદાવાદના શહેરી વિસ્તારમાં 150 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં 5 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ સાથે શહેરી વિસ્તારમાં 161 લોકો કોરોના મુક્ત થયા છે. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 5 રિકવરી નોંધાઇ છે.
જો રસીકરણની વાતકરવામાં આવે તો, અમદાવાદ શહેરી વિસ્તારમાં 3692 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 666 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.
5 july ની રાજકોટ કોરોના અપડેટ
રાજકોટના શહેરી વિસ્તારમાં 8 કેસ નોંધાયા હતા. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 4 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
આ સાથેશહેરી વિસ્તારમાં 4 રિકવરી નોંધાઇ છે, આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 3 રિકવરી નોંધાઇ છે.
જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટશહેરી વિસ્તારમાં 3028 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 690 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.
5 july ની ભારત કોરોના અપડેટ
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં મંગળવારના રોજ કોરોના સંક્રમણના 13,086 નવાપોઝિટિવ કેસ નોંધાયા છે, જે સોમવારના રોજ નોંધાયેલા 16,135 પોઝિટિવ કેસ અને 19 મૃત્યુથી ઓછા છે.
સક્રિય કેસ હવે 1,14,475 છે
સક્રિય કેસ હવે 1,14,475 છે અને આરોગ્ય મંત્રાલયના ડેટા દર્શાવે છે કે, દેશભરમાં અત્યાર સુધીમાં 5,25,242 મૃત્યુ નોંધાયા છે. 4,28,91,933 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે.
અન્ય ઓમિક્રોન પેટા વેરિઅન્ટ્સ કરતાં 18 ટકા વૃદ્ધિનો વધારો
વૈજ્ઞાનિકો દેશમાં કોરોનાવાયરસના કેસોમાં તાજેતરના વધારાના સંભવિત કારણોની તપાસ કરવાનું ચાલુ રાખતા હોવાથી, BA.2.75, પેરેંટઓમિક્રોન વેરિઅન્ટના કેટલાક પેટા ચલોમાંનું એક, સ્પોટલાઇટ હેઠળ છે. BA.2.75, BA.2 પેટા-વંશ સાથે સંકળાયેલું છે, જે આ વર્ષનીશરૂઆતમાં ભારતમાં પ્રબળ સંક્રમક હતું, તેને હાલમાં ફરતા અન્ય ઓમિક્રોન પેટા વેરિઅન્ટ્સ કરતાં 18 ટકા વૃદ્ધિનો વધારો જોવા મળ્યો છે.
સિંગાપોરના રાષ્ટ્રપતિ હલીમાહ યાકોબ કોરોના પોઝિટિવ
સિંગાપોરના રાષ્ટ્રપતિ હલીમાહ યાકોબ, સંસદના સ્પીકર તાન ચુઆન-જિન અને મંત્રી એડવિન ટોંગનો કોવિડ -19 વાયરસનો રિપોર્ટપોઝિટિવ આવ્યો છે. એક ફેસબુક પોસ્ટમાં, હલીમાહ યાકોબે લખ્યું હતું કે, હમણાં જ હળવા ફ્લૂ જેવા લક્ષણો સાથે કોવિડ -19 નો રિપોર્ટપોઝિટિવ આવ્યો છે. સદભાગ્યે, મને રસી આપવામાં આવી છે અને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. હું જલ્દી સ્વસ્થ થવાની આશા રાખું છુંઅને આ અઠવાડિયે ઇવેન્ટ્સ ચૂકી જવા બદલ દિલગીર છું.