For Quick Alerts
For Daily Alerts
ગુજરાતના 6 IAS અધિકારીઓની કેન્દ્રમાં નિમણૂક કરાઇ
ગુજરાત રાજ્યના 6 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. કેન્દ્રમાં વર્ષ 2005ની બેચના 49 IAS અધિકારીઓની જોઈન્ટ સેક્રેટરી તથા તેના સમકક્ષ હોદ્દા માટે નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યના 6 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. કેન્દ્રમાં વર્ષ 2005ની બેચના 49 IAS અધિકારીઓની જોઈન્ટ સેક્રેટરી તથા તેના સમકક્ષ હોદ્દા માટે નિમણૂક કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં ફરજ બજાવતા 6 IAS અધિકારીઓનો સમાવેશ થાય છે. જેમાં બંછાનીધિ પાની, શાલિની અગ્રવાલ, હર્ષદકુમાર પટેલ, પી ભારતી, રણજીતકુમાર અને કે. કે. નિરાલાની કેન્દ્રમાં નિમણૂક થઇ છે.
કેન્દ્રમાં નિયુક્ત થયેલા IAS અધિકારીઓની યાદી
- બંછાનિધિ પાની, મ્યુનિસિપલ કમિશનર, સુરત
- હર્ષદકુમાર પટેલ, એમ.ડી, ટ્રાન્સપોર્ટ વિભાગ
- શાલિની અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર, વડોદરા
- પી ભારતી, કમિશનર, લેબર વિભાગ
- રણજિત કુમાર, કમિશનર, MSME વિભાગ
- કે. કે. નિરાલા, એડિશનલ સેક્રેટરી, ગૃહ વિભાગ
આ વર્ષે જ IAS અધિકારીઓની બદલી અને બઢતી કરાઇ હતી
નોંધનીય બાબત છે કે, 9 જૂન, 2021ના રોજ 26 અધિકારીઓની બદલી અને બઢતી કરાઇ હતી. જે બાદ 19 જૂનના રોજ વધુ 77 અધિકારીઓની બદલી અને બઢતી કરાઇ હતી. રાજ્ય સરકાર દ્વારા કુલ 77 IAS અધિકારીઓની બદલી કરવાના સત્તાવાર આદેશો આપ્યા હતા.
Comments
ias officers ગુજરાત સમાચાર ગુજરાતીમાં સમાચાર રાષ્ટ્રીય સમાચાર gujarat news news in gujarati national news
English summary
6 IAS officers of Gujarat state have been transferred. At the Center, 49 IAS officers of the 2005 batch have been appointed for the post of Joint Secretary and its equivalent. This includes 6 IAS officers on duty in Gujarat.
Story first published: Sunday, August 8, 2021, 18:04 [IST]