6 july Covid Update : દેશમાં 16,159 કેસ અને 28 મોત નોંધાયા, જાણો આજની કોરોના અપડેટ
ગુજરાતમાં મંગળવારના રોજ કોરોના સંક્રમણના 572 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 489 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
6 july Covid Update : ગુજરાતમાં મંગળવારના રોજ કોરોના સંક્રમણના 572 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 489 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
આ જિલ્લામાં નોંધાયા આટલા કેસ
આ સાથે જો જિલ્લામાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 257, સુરતમાં 94 કેસ, વડોદરામાં 42 કેસ,રાજકોટમાં 26 કેસ, ભાવનગરમાં 22 કેસ, વલસાડમાં 18 કેસ, નવસારી અને ગાંધીનગરમાં 16-16 કેસ, જામનગરમાં 14 કેસ અને કચ્છમાં12 કેસ નોંધાયા છે.
ભરૂચ અને પાટણમાં 8-8 કેસ નોંધાયા
મોરબીમાં 9 કેસ, ભરૂચ અને પાટણમાં 8-8 કેસ નોંધાયા છે. મહેસાણામાં 5 કેસ, આણંદ અને ખેડામાં 4-4 કેસ, અમરેલી અને પોરબંદરમાં3-3 કેસ નોંધાયા છે.
આ જિલ્લામાં નોંધાયા 1-1 કેસ
બનાસકાંઠા, ગીર સોમનાથ અને તાપીમાં 2-2 કેસ નોંધાયા હતા. જૂનાગઢ, પંચમહાલ અને સાબરકાંઠામાં 1-1 કેસ નોંધાયો હતા.
1 ની હાલત ગંભીર
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,948 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,20,146 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા3595 થઇ છે. જેમાંથી 1 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.
કુલ 11,16,44,512 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.82 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 67,825 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,16,44,512 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
6 july ની અમદાવાદ કોરોના અપડેટ
અમદાવાદના શહેરી વિસ્તારમાં 249 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં 8 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોછે. આ સાથે શહેરી વિસ્તારમાં 211 લોકો કોરોના મુક્ત થયા છે. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 7 રિકવરી નોંધાઇ છે.
જો રસીકરણની વાતકરવામાં આવે તો, અમદાવાદ શહેરી વિસ્તારમાં 3210 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 688 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.
6 july ની રાજકોટ કોરોના અપડેટ
રાજકોટના શહેરી વિસ્તારમાં 21 કેસ નોંધાયા હતા. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 5 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
આ સાથેશહેરી વિસ્તારમાં 5 રિકવરી નોંધાઇ છે, આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 5 રિકવરી નોંધાઇ છે.
જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટશહેરી વિસ્તારમાં 5181 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 1201 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.
6 july ની ભારત કોરોના અપડેટ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના સંક્રમણના 16,159 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં કોવિડ19 કેસની કુલ સંખ્યા4,35,47,809 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 28 કોવિડ સંબંધિત મૃત્યુ સાથે ભારતમાં કોવિડ19 મૃત્યુની સંખ્યા વધીને 5,25,270 થઈ ગઈછે.
સક્રિય કેસની સંખ્યા 1,15,212
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, સક્રિય કેસ 1,15,212 છે, જેમાં કુલ સંક્રમણના 0.26 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે પુનઃપ્રાપ્તિદર 98.53 ટકા નોંધાયો હતો, મંત્રાલયે જણાવ્યું હતું. કો-વિન ડેશબોર્ડ દર્શાવે છે કે, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાવાયરસ રસીના 198કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.