દિવાળી પહેલા રાજ્ય સરકાર દ્વારા 17 આપીએસ અધિકારીઓની બદલી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડા ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ પહેલા 17 જેટલા આપીએસ અધિકારીઓની બદલી કરી હતી. જેમા 6 રેન્જ આજીની પણ બદલી કરવામાં આવી હતી. જેમા સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, જુનાગઢ,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડા ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ પહેલા 17 જેટલા આપીએસ અધિકારીઓની બદલી કરી હતી. જેમા 6 રેન્જ આજીની પણ બદલી કરવામાં આવી હતી. જેમા સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, જુનાગઢ, પંચમહાલનો સમાવેશ થાય છે.

રાજ્ય સરકાર દ્વારા જુનાગઢ રેન્જ આઇજી તરીકે મયંકસિંહ ચાવડાની નિમણૂંક કરવામાં આવી છે. અશોક યાદવની રાજકોટના રેન્જ આઇજી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. સંદિપસિંઘને વડોદરાના રેન્જ આઇજી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ગૌતમ પરમારની ભાવનગરના રેન્જ આઇજી તરીકે બદલી કવરાામાં આવી છે. પિયુષ પટેલને સરતના રેન્જ આઇજી તરીકે બદલી કરવાામાં આવી છે. ચિરાગ કારડિયા પંચમહાલના રેન્જ ડીઆઇજી, એમ.એસ. ભરાડા અમદાવાદના સેક્ટર-2 એડિશનલ સીપી. ડી.એમ પરમાર સુરત જેસીપી તરીકે બદલી, અજય ચૌધરીની અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચના જેસીપી તરીકે બદલી, ખુરશીદ અહેમદ પ્લાનિંગ અને મોર્ડેનાઇઝેશનમાં ડીઆઇજી તરીકે બદલી કરવામાં આવી છે. રાજકુમાર પાંડિયાન અમદાવાદ રેલ્વેમાં એડીજીપી તરીકે બદલી કવરામાં આવી છે. મનોજ નીનામાં વડોદરા ક્રાઇમ અને ટ્રાફિકના એડીશન સીપી. એ.જી. ચૌહાણી, અમદાવાદના ટ્રાફિકના એડિશનલ સીપી., આર.વી. અંસારી ઇન્ટેલિજન્સમાં ડીઆઇજી તરીકે બદલી. કે.એમ.ડામોર સુરત સેક્ટર 2 માં એડિશનલ સીપી તરીકે બદલી. સૌરભ તૌલાંમ્બિયાની રાજકોટ ટ્રાફિક એડિશનલ સીપી તરીકે બદલી કરવામાં આવી છે. નિરજ બડગુજરની ડીઆઇજી તરીકે બઢતી આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
