ગુજરાતની જેલોમાં 60 પાકિસ્તાની કેદીઓ બંધ
એવી જ રીતે ગુજરાતમાં આવેલી જેલોમાં 60થી વધારે પાકિસ્તાની કેદીઓ બંધ છે. આ તમામની સલામતી વ્યવસ્થાને રાજ્ય સરકારે વધારે કડક બનાવી દીધી છે. પાકિસ્તાનની જેલમાં ભારતીય કેદી સરબજીત સિંહ પર થયેલા હુમલા બાદ તેના મૃત્યુના સમાચારથી ઉશ્કેરાયેલા ભારતની જેલમાં બંધ ભારતીય કેદીઓએ જેલમાં રહેતા પાકિસ્તાની કેદીઓ પર હુમલો કર્યો હોવાની ઘટનાને પગલે આ અગમચેતી ગુજરાત સરકારે વાપરી છે.
પાકિસ્તાની કેદીઓમાં સૌથી વધારે 40 કેદી જામનગરની જેલમાં છે જ્યારે રાજકોટની જેલમાં 12, પાલનપુરમાં 6 અને અમદાવાદ તથા વડોદરામાં એક-એક પાકિસ્તાની કેદી છે. ગુજરાત સરકારે તમામ જેલો સુપ્રીન્ટેન્ડન્ટ્સને તાકીદ કરી છે કે તેઓ પાકિસ્તાની કેદીઓને એક અલગ જૂથમાં રાખે અને જેલમાં તેમની સલામતીની બરાબર કાળજી રાખે.
જમ્મુની જેલમાં સનાઉલ્લા હક નામના એક પાકિસ્તાની કેદી પર હુમલો થયા બાદ અને તે પહેલા પાકિસ્તાનના લાહોરની જેલમાં ભારતીય કેદી સરબજીત સિંહની કરપીણ હત્યાની ઘટના બાદ ગુજરાતની જેલોમાં બંધ કરાયેલા પાકિસ્તાની કેદીઓની સલામતીને વધારે કડક બનાવવાનો સરકારે નિર્ણય લીધો છે.