For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતની જેલોમાં 60 પાકિસ્તાની કેદીઓ બંધ

|
Google Oneindia Gujarati News

jail
ગાંધીનગર, 7 મે : આંતરિક બાબતોના પ્રધાને તાજેતરમાં સંસદમાં આપેલા એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે વિશ્વભરના 112 દેશોમાં ભારતના 6500થી વધારે કેદીઓ કેદ છે. જ્યારે પાકિસ્તાનમાં ભારતીય કેદીઓનો આંકડો 550થી વધારે છે.

એવી જ રીતે ગુજરાતમાં આવેલી જેલોમાં 60થી વધારે પાકિસ્તાની કેદીઓ બંધ છે. આ તમામની સલામતી વ્યવસ્થાને રાજ્ય સરકારે વધારે કડક બનાવી દીધી છે. પાકિસ્તાનની જેલમાં ભારતીય કેદી સરબજીત સિંહ પર થયેલા હુમલા બાદ તેના મૃત્યુના સમાચારથી ઉશ્કેરાયેલા ભારતની જેલમાં બંધ ભારતીય કેદીઓએ જેલમાં રહેતા પાકિસ્તાની કેદીઓ પર હુમલો કર્યો હોવાની ઘટનાને પગલે આ અગમચેતી ગુજરાત સરકારે વાપરી છે.

પાકિસ્તાની કેદીઓમાં સૌથી વધારે 40 કેદી જામનગરની જેલમાં છે જ્યારે રાજકોટની જેલમાં 12, પાલનપુરમાં 6 અને અમદાવાદ તથા વડોદરામાં એક-એક પાકિસ્તાની કેદી છે. ગુજરાત સરકારે તમામ જેલો સુપ્રીન્ટેન્ડન્ટ્સને તાકીદ કરી છે કે તેઓ પાકિસ્તાની કેદીઓને એક અલગ જૂથમાં રાખે અને જેલમાં તેમની સલામતીની બરાબર કાળજી રાખે.

જમ્મુની જેલમાં સનાઉલ્લા હક નામના એક પાકિસ્તાની કેદી પર હુમલો થયા બાદ અને તે પહેલા પાકિસ્તાનના લાહોરની જેલમાં ભારતીય કેદી સરબજીત સિંહની કરપીણ હત્યાની ઘટના બાદ ગુજરાતની જેલોમાં બંધ કરાયેલા પાકિસ્તાની કેદીઓની સલામતીને વધારે કડક બનાવવાનો સરકારે નિર્ણય લીધો છે.

English summary
60 Pakistani prisoners in jails of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X