ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા 64મી રાજ્યકલા સ્પર્ધાનું આયોજન
Gujarat State Fine Arts Academy: ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા ગુજરાત રાજ્યની વિવિધ કલા સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા ધોરણ 1 થી 10 માં અભ્યાસ કરતા શાળાના વિદ્યાર્થીઓ માટે 64મી રાજ્યકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક રાજ્યના કલાકારો, કલા સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ લલિતકલા અકાદમીની વેબસાઈટ gujaratstatelalitkalaacademy.com પર આગામી તારીખ 21 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી દરમિયાન કલાકૃતિના ફોટા તથા જરૂરી વિગત સાથે અરજીપત્રક ભરી ઓનલાઇન સબમીટ કરવાનું રહેશે તેમ લલિત કલા અકાદમીના સચિવશ્રીની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, આ સ્પર્ધામાં ચિત્રકલા, શિલ્પકલા, ગ્રાફિકકલા, વ્યવહારિક કલા તથા છબીકલા તેમજ બાળ ચિત્રકલા જેવા વિવિધ ક્ષેત્રમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોની પોસ્ટ, કુરીયર અને રૂબરૂ મળેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. રાજ્યના બાળકોને લલિતકલામાં પ્રોત્સાહન મળે તથા તેમનો ઉત્સાહ વધે તેમજ કલા પ્રત્યે રુચિ કેળવાય તેવા ઉદ્દેશથી આ રાજ્યકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
