7 july Covid Update : દેશમાં 18,930 કેસ અને 35 મોત નોંધાયા, જાણો આજની કોરોના અપડેટ
ગુજરાતમાં બુધવારના રોજ કોરોના સંક્રમણના 665 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 536 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
7 july Covid Update : ગુજરાતમાં બુધવારના રોજ કોરોના સંક્રમણના 665 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 536 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
વલસાડ અને ભાવનગરમાં 22-22 કેસ નોંધાયા
આ સાથે જો જિલ્લામાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 259 કેસ, સુરતમાં 104 કેસ, વડોદરામાં 60 કેસ, ગાંધીનગરમાં 72 કેસ, વલસાડ અને ભાવનગરમાં 22-22 કેસ નોંધાયા છે. આ સાથે નવસારીમાં 22 કેસ અને નવસારીમાં 20 કેસ નોંધાયા છે.
ભરૂચમાં 4 કેસ નોંધાયા
રાજકોટમાં 10 કેસ, કચ્છમાં 13 કેસ, આણંદ અને મોરબીમાં 8-8 કેસ નોંધાયા છે. આ સાથે જામનગરમાં 7 કેસ નોંધાયા છે. પાટણમાં 6 કેસ,ખેડામાં 5 કેસ અને ભરૂચમાં 4 કેસ નોંધાયા છે.
આ જિલ્લામાં નોંધાયા 1-1 કેસ
અમરેલી અને બનાસકાંઠામાં 3-3 કેસ અને પોરબંદરમાં 2 કેસ નોંધાયા છે. અરવલ્લી, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગરમાં એક-એક કેસનોંધાયો છે.
1 ની હાલત ગંભીર
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,948 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,20,682 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા3724 થઇ છે. જેમાંથી 3 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.
કુલ 11,16,99,603 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.81 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 55,091 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,16,99,603 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
7 july ની અમદાવાદ કોરોના અપડેટ
અમદાવાદના શહેરી વિસ્તારમાં 252 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં 7 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોછે.
આ સાથે શહેરી વિસ્તારમાં 222 લોકો કોરોના મુક્ત થયા છે. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 5 રિકવરી નોંધાઇ છે.
જો રસીકરણનીવાત કરવામાં આવે તો, અમદાવાદ શહેરી વિસ્તારમાં 3208 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 519વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધોછે.
7 july ની રાજકોટ કોરોના અપડેટ
રાજકોટના શહેરી વિસ્તારમાં 5 કેસ નોંધાયા હતા. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 5 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સાથેશહેરી વિસ્તારમાં 12 રિકવરી નોંધાઇ છે, આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 3 રિકવરી નોંધાઇ છે.
જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટશહેરી વિસ્તારમાં 4617 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 1131 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.
7 july ની ભારત કોરોના અપડેટ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ગુરુવારે અપડેટ કરાયેલ ડેટા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં કોરોના સંક્રમણના 18,930 નવાપોઝિટિવ કેસ નોંધાયા છે.
આ સાથે કુલ કોવિડ-19 પોઝિટિવ કેસની સંખ્યા 4,35,66,739 થઈ છે, જ્યારે સક્રિય કેસ વધીને 1,19,457 થઈગયા છે. સવારે 8 કલાકે અપડેટ કરાયેલ ડેટા દર્શાવે છે કે, કોવિડ19 સંબંધિત 35 નવા મૃત્યુ નોંધાયા છે. જે સાથે મૃત્યુઆંક વધીને5,25,305 પર પહોંચી ગયો છે.
સક્રિય કોવિડ19 કેસ લોડમાં 4,245 કેસનો વધારો નોંધવામાં આવ્યો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, સક્રિય કેસોમાં કુલ સંક્રમણના 0.26 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે રાષ્ટ્રીય કોવિડ19 રિકવરી રેટ98.53 ટકા નોંધાયો હતો. 24 કલાકના ગાળામાં સક્રિય કોવિડ19 કેસ લોડમાં 4,245 કેસનો વધારો નોંધવામાં આવ્યો છે.
વીકલી પોઝિટિવિટી રેટ 3.86 ટકા
છેલ્લા 24 કલાકમાં કરવામાં આવેલા 4,38,005 પરીક્ષણો સાથે અત્યાર સુધીમાં કુલ 86.53 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ડેઇલીપોઝિટિવિટી રેટ 4.32 ટકા નોંધાયો હતો, જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ 3.86 ટકા હતો.
કોવિડ-19નો આંકડો 25 જાન્યુઆરીએ ચાર કરોડને પાર કરી ગયો
ભારતમાં કોવિડ-19નો આંકડો 7 ઓગસ્ટ, 2020ના રોજ 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ, 5 સપ્ટેમ્બરે 40 લાખ અને 16 સપ્ટેમ્બરે 50લાખને પાર કરી ગયો હતો. આ 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ અને 19ડિસેમ્બરે એક કરોડનો આંકડો વટાવી ગયો હતો. દેશે 4 મેના રોજ બે કરોડ અને ગયા વર્ષે 23 જૂનના રોજ ત્રણ કરોડનો હાઇ માઈલસ્ટોન
પાર કર્યો હતો. આ વર્ષે 25 જાન્યુઆરીએ તે ચાર કરોડને પાર કરી ગયો હતો.