નરેન્દ્ર મોદીના પ્રચાર માટે છેલ્લાં 10 વર્ષમાં 700 કરોડ ખર્ચાયા
જાણો : ભારત માટે નરેન્દ્ર મોદીના 7 મહત્વનાં સપનાં
જીપીપી ગુજરાત રાજ્યમાં લોકાયુક્તની રચના કરવા માટેની લડાઇ લડી રહી છે તેમ જણાવી ગોરધન ઝડફિયાએ જણાવ્યું કે જો ગુજરાતમાં લોકાયુક્ત હોત તો આ તમામ બાબતો જાહેર થઈ હોત.સદ્ભાવના ઉપવાસમાં ખર્ચેલા રૂપિયા 165 કરોડ પણ સરકારી કાર્યક્રમના નામે વ્યક્તિગત અને ભાજપનો જ કાર્યક્રમ યોજાયો હતો તેના નાણાં પણ મુખ્યમંત્રી અથવા ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની તિજોરીમાં ચુકવવા પડયા હોત.
કેન્દ્રની યુપીએ સરકારના 9 વર્ષ અને યુપીએ 2 સરકારના 4 વર્ષની ઉજવણી કોંગ્રેસે કરી તે સમયગાળો પણ ભ્રષ્ટાચારનો કલંકિત ઈતિહાસ રહ્યો. કોંગ્રેસે પોતાના ભ્રષ્ટાચારી નેતાઓને પાણીચા આપી દીધા.પરંતુ ભાજપે ભ્રષ્ટાચાર છાવરવા ગુજરાતમાં લોકાયુક્ત છેલ્લા 10 વર્ષથી ન નિમ્યા તે ખરેખર ગુન્હાહિત છે.
ઝડફિયાએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રસિદ્ધિના નુસ્ખાને ખુલ્લો પાડતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ગાંધીનગરથી માણસા સુધી જવામાં મુખ્યમંત્રી હેલીકોપ્ટરનો ઉપયોગ કરીને રાજ્યના નાણાં બેફામ ઉડાવે અને હાલમાં સત્તામાં આવ્યા પછી પહેલીવાર ઈકોનોમી ક્લાસમાં હવાઈ મુસાફરી કરવાની સાદગી બતાવે તે ખરેખર પ્રજાએ સોશ્યલ મીડિયાદ્વારા અપાયેલા નામને સાર્થક કરે છે. ગુજરાત પરિવર્તન પાર્ટી હાલ મોદી સરકાર સામે આક્ષેપબાજીમાં વ્યસ્ત છે.