નીતિન પટેલ અને વિજય રૂપાણીએ સ્વૈચ્છાએ ના પાડી કે પત્તા કપાયાં?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની રાષ્ટ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક દિલ્હીમાં ચાલી રહી છે. ઉમેદવારોના નામોની જાહેરાત થવામાં થોડા કલાકોની જ વાર છે તે પહાલ જ ગુજરાતના પૂર્વ મુખ્યમત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની રાષ્ટ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક દિલ્હીમાં ચાલી રહી છે. ઉમેદવારોના નામોની જાહેરાત થવામાં થોડા કલાકોની જ વાર છે તે પહાલ જ ગુજરાતના પૂર્વ મુખ્યમત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્ર ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને ચૂટણી નહી લડવા માંગતા હોવાનો પત્ર લખ્યો છે. આ સાથે વિજય રૂપાણીએ પણ એક નિવેદન આપીને જણાવ્યુ છે કે, ભાજપને જીતાડવા માટે કામ કરીશ અને પા વર્ષ સધુી સુચારૂ કામગીરી કરી છે.
આ બંને વરિષ્ઠ નેતાઓએ રાષ્ટ્રીય નેતૃત્વને પોતે ચૂટણી નહી લડવા માગતા અન્ય કાર્યકર્તાઓને તક આપવા માટે જણાવ્યુ છે. તો બીજી તરફ એક એવી ચર્ચાએ પણ જોર પકડ્યુ છે કે, આ બંને વરિષ્ઠ નેતાઓના નામ કાપી નાખવમાં આવ્યા છે. તે માટે પાણી પહેલા પાળ બાધવા માટે જાહેરમાં આવીને આ પ્રકારના નિવેદન આપ્યા છે. જેથી કરીને તેમના પર વિરોધીઓ કોઇ પણ પ્રકારની તક આપવા નથી માંગતા
રાષ્ટ્રીય નેતૃત્વએ પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ ટીકિટ નહી લડવા માટે કહ્યુ છે. રાજ્યની જનતાને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, કરેડે ગુજરાતીઓનો ઋણી છુ.
આ સાથે જ પૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રીય નેતૃત્વને નવા કાર્યકર્તાઓને તક આપવા આને જે પણ ઉમેદવારને કેન્દ્રીય નેતૃત્વ તક આપશે તેને જીતાડવા પ્રયાસ કરવા કહ્યુ છે.
વિજય રૂપાણી કેબિનેટના 8 જેટલા મંત્રીઓના પત્તા કપાયા હોવાથી મોટા ભાગના નેતાઓ મીડિયા સમક્ષ આવીને નિવેદન આપીને પોતે ચૂટણી લડવા નથી માગતા અને નવા કાર્યકર્તાને તક આપો તેમને જીતાડવા માટે પર્યાસ કરશે. વિજય રૂપાણીમાં મંત્રી રહેલા નીતિન પટેલ, ભૂપેન્દ્ર ચૂડસમા, પ્રદિપસિંહ જાડેજા, સૌરભ પટેલ, વિભાવરી દવે, યોગેશ પટેલ, કૌશિક પટેલ, વલ્લભ કાકડીયા સહિતના નેતાના 2022 ની ચૂંટણીમાં પત્તા કપાવાનું નક્કી હોવાથી પોતે સામેથી આવીને ચૂટણી નહી લડવા માટે જાહેરાત કરતા હોવાનું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.