પ્રતિમામાં 85 ટકા તાંબાનો ઉપયોગ તો લોખંડની ઉઘરાણી કેમ? : દિનશા પટેલ
અમદાવાદ, 27 ઓક્ટોબર : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર નર્મદા ડેમની નજીક સરદાર પટેલનું યુનિટી ઓફ સ્ટેચ્યુ બનાવવાની જાહેરાત કરી છે. આ માટેનું ખાત મૂહૂર્ત સરદાર પટેલની જન્મ જયંતિ 31 ઓક્ટોબર, 2013ના રોજ કરવામાં આવશે તેવી જાહેરાત દેશભરમાં જોશભેર કરવામાં આવી રહી છે.
સરદાર પટેલની ભવ્ય અને વિશ્વમાં સોથી ઊંચી 597 ફૂટ ઊંચાઇની પ્રતિમા તૈયાર કરવા માટે નરેન્દ્ર મોદીની ગુજરાત સરકારે દેશભરમાંથી લોખંડ એકત્ર કરવાનું આયોજન છે. આ સંદર્ભે કેન્દ્રીય મંત્રી અને સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ ટ્રસ્ટના પ્રમુખ દિનશા પટેલે જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રતિમા પંચધાતુના મિશ્રણથી બનતી હોય છે અને એમાં 85 ટકા તાંબાનો ઉપયોગ કરવો પડતો હોય છે. આમ છતાં નરેન્દ્ર મોદી આટલું બધું લોખંડ શા માટે ઉઘરાવવાના છે તેની સમજણ પડતી નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ગામેગામથી લોખંડ ઉઘરાવવાની કોઈ જરૂર નથી. તેમની માનીતી કોઈ એક કંપનીને કહેશે તો પણ લોખંડ મળી જશે. આગામી 31 ઓક્ટોબરના રોજ યોજાનારા કાર્યક્રમમાં મને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્ટને કેન્દ્ર સરકારે રૂપિયા 17કરોડનું અનુદાન આપ્યું છે એટલું જ નહીં પણ નિભાવણી ખર્ચ માટે પણ દર વર્ષે રૂપિયા 24 લાખ આપવામાં આવે છે.
તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારકના વિકાસ માટે રૂપિયા 28.54 કરોડનો ખર્ચ કરાયો છે. બાકીનું ભંડોળ પ્રજા પાસેથી મેળવ્યું છે પણ નરેન્દ્ર મોદીની ભાજપ સરકારે આ ટ્રસ્ટને એક રૂપિયાની પણ મદદ કરી નથી. કેશુભાઈ પટેલની સરકાર હતી ત્યાં સુધી ટ્રસ્ટને મદદ મળતી હતી.
તેમણે ઉમેર્યું હતું કે અમદાવાદ શહેરના લાલ દરવાજા વિસ્તારમાં સરદાર સાહેબનું નિવાસસ્થાન આવેલું છે. આ મકાન સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ ટ્રસ્ટને સોંપવા માટે મહાનગર પાલિકા પાસે માગણી કરી હતી અને બિલ્ડિંગ ટ્રસ્ટના નામે કરવા રૂપિયા 1.64 લાખ પણ મહાનગરપાલિકામાં જમા કરાવી દીધા છે. છતાં પણ સરદાર સાહેબનું મકાન ટ્રસ્ટના નામે કરવામાં આવતું નથી. આ સંદર્ભે અમે રજૂઆતો પણ કરી હતી.
-
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત






Click it and Unblock the Notifications
