મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મોટો ખુલાસો, બદલાઈ જ નહોંતી આ ખરાબ વસ્તુ!
મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં 140થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હવે આ ઘટનામાં મોટા ખુલાસા થયા છે.
મોરબી : મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં 140થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હવે આ ઘટનામાં મોટા ખુલાસા થયા છે.
ગુજરાતના સરકારી વકીલ હરસેન્દુ પંચાલે જે ખુલાસા કર્યા છે તે વિચારવા મજબુર કરે તેવા છે. તેમણે ખુલાસો કરતા જણાવ્યુ કે, ઝૂલતા પુલના ખરાબ થયેલો કેબલ બદલાયો જ નહોતો. તેને માત્ર કલર કરી દેવાયો હતો.

એફએસએલ રિપોર્ટના હવાલાથી તેમણે જણાવ્યુ કે, કોન્ટ્રાક્ટરે કેબલ બદલ્યો જ નહોતો, ખરાબ કેબલને માત્ર કલર કર્યો હતો. કોન્ટ્રાક્ટરે માત્ર ફ્લોરિંગ બદલી હતી. સરકારી વકીલે બંધ કવરમાં ફોરેંસિક રિપોર્ટ કોર્ટને સોંપ્યો હતો.
એફએસએલ તપાસની વિગતો વિશે વાત કરતા તેમણે કહ્યું કે, એફએસએલ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કેબલ બદલાયા ન હતા. આ કોન્ટ્રાક્ટ ઓરેવા કંપનીને નહીં પરંતુ કંપનીના મેનેજરને આપવામાં આવ્યો હતો. તેમણે અયોગ્ય મજૂરોને સમારકામ અને નવીનીકરણનું કામ સોંપ્યું. ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ અંગે કોઈ ચર્ચા થઈ ન હતી અને તપાસ ચાલી રહી હતી. એફએસએલ રિપોર્ટ સીલબંધ કવરમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
મોરબી કલેકટર જી.ટી.પંડ્યાએ જણાવ્યું કે હજુ બચાવ કામગીરી ચાલુ છે. પંજાબનો એક વ્યક્તિ ગુમ છે. તેના પરિવારને આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે. જ્યાં સુધી લાશ નહીં મળે ત્યાં સુધી સર્ચ ઓપરેશન ચાલુ રહેશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
