સુરતમાં સિવિલ હોસ્પિટલના કેન્સર ડિપાર્ટમેન્ટમાં આગ લાગી
હાલમાં જ ખબર આવી રહી છે કે સુરતમાં સિવિલ હોસ્પિટલના કેન્સર ડિપાર્ટમેન્ટમાં આગ લાગી છે. પરંતુ સૂત્રો અનુસાર હાલમાં તેને ફાયર બ્રિગેડ ઘ્વારા કંટ્રોલમાં કરી લેવામાં આવી છે.
સુરતમાં હાલમાં જ થરસાણામાં આવેલ તક્ષશિલા બિલ્ડિંગમાં લાગેલ ગોઝારી આગે 21 લોકોના જીવ ભરખી લીધા. 20 લોકોના મોત આગને કારણે થયાં જ્યારે એક વિદ્યાર્થીનું મોત બીજા માળેથી કુદવાના કારણે થયું હતું. સુરત શહેર હજુ આ દર્દનાક ઘટનાના આઘાતમાંથી બહાર આવ્યું જ નથી કે શહેરમાં વધુ એક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે.

હાલમાં જ ખબર આવી રહી છે કે સુરતમાં સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં આગ લાગી છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગના 7 જેટલી ગાડીઓ કામે લાગી છે. ફાયર બ્રિગેડની ટીમે સમયસર આગ પર કાબૂ મેળવી લીધો હોવાના અહેવાલ સામે આવ્યા છે. હોસ્પિટલમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોએ આમતેમ ભાગદોડ શરૂ કરી દીધી હતી. પેનલ બોર્ડમાં આગ લાગી હતી. સદનસીબે આ ઘટનાને પગલે કોઈ જાનહાની થઈ નથી.












Click it and Unblock the Notifications
