પીએસઆઇની પરીક્ષા 12 જૂન સુધીમાં લેવાની સરકારની કોર્ટમાં રજૂઆત
PSI સીધી ભરતી પ્રક્રિયા વિવાદ મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા 12 થી 19 જૂન દરમિયના પરીક્ષા લેવા માટે જણાવ્યુ છે. સરકાર તરફથી જણાવામાં આવ્યુ હત કે, 12 જૂનના રોજ પરીક્ષાર્થી એડમ
PSI સીધી ભરતી પ્રક્રિયા વિવાદ મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા 12 થી 19 જૂન દરમિયના પરીક્ષા લેવા માટે જણાવ્યુ છે. સરકાર તરફથી જણાવામાં આવ્યુ હત કે, 12 જૂનના રોજ પરીક્ષાર્થી એડમીટ કાર્ડ 5 જૂનથી ડાઉનલોડ કરી શકાશે. આ મામલે વધુ સુનાવણી 3 જૂનના રોજ કરવામાં આવશે.
પીએસઆઇની ભારતી પ્રક્રિયાને લઇને ઉમેદવારો દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમા દરેક કેટેગરીના પાસ થયેલા ઉમેદવારોના ત્રણ ગણા ઉમેદવારો બાલાવાનો નિયમનું પાલન નહી થયુ હોવાની ફરિયાદ કોર્ટમાં કરવામાં આવી છે. કુલ જગ્યાની સામે પર્યાપ્ત માત્રામાં ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી એવી અરજદારોની ફરિયાદ છે. તેમજ GPSC પેટર્ન પ્રમાણે જે-તે કેટેગરી પ્રમાણે એટલે કે ST, SC OBC અને બિનઅનામત વર્ગના ઉમેદવારોની કેટેગરી અનુસાર કુલ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવો જોઇએ એવી અરજદારોની રજુઆત છે.
વધુમા ઉમેદવારોએ એવી પણ રજૂઆત કરી હતી કે, પ્રિલીમ પરીક્ષાના પરિણામમાં મેરીટ વાળા અનામત કેટેગરીના ઉમેદવારોનું જનરલ કેટેગરીમાં માઈગ્રેશન ના થઇ શકે, માત્ર મેઈન એક્ઝામમાં જ આ નિયમ લાગુ પડી શકે એવી પણ રજુઆત કરવામાં આવી છ. જનરલ કેટેગરીની બેઠકો જ ઓછી કરી દેવામાં આવી હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે. તેમજ એક્સ આર્મિમેનને પણ ભરતી પ્રક્રિયામાં અન્યાય થયો હોવાન રજૂઆત ઉમેદવારો દ્વારા કવરામાં આવી છે.