For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બનાસકાંઠાના વિવિધ પ્રશ્નોના નિવારણ માટે સંકલન સમિતિની બેઠક મળી

બનાસકાંઠા જિલ્લાની વિવિધ સમસ્યાઓના નિવારણ માટે પાલનપુર કલેકટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ હતી.

|
Google Oneindia Gujarati News

બનાસકાંઠા જિલ્લાની વિવિધ સમસ્યાઓના નિવારણ માટે પાલનપુર કલેકટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જન સુખાકારી માટે ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને તેના નિવારણ માટે યોગ્ય સૂચનો કરવામાં આવ્યા હતા.

Banaskantha

સંકલન સમિતિની બેઠકમાં પાલનપુર શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા સફાઇ પર ભાર મુકવામાં આવ્યો હતો. આ ઉપરાંત દિયોદર બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવા, રસ્તા અને ટ્રાફિક સમસ્યાઓનું નિરાકરણ લાવવા, પીવાના પાણીના પ્રશ્નો સહિત નેશનલ હાઇવે ઓથોરીટીના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. હાલની સીઝનમાં લોકોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે પુરતી તકેદારી રાખવા તથા જરૂર જણાય ત્યાં ટેન્કર દ્વારા પાણી આપીને પાણીની વ્યવસ્થા સારી રીતે જાળવવા જણાવાયું હતુ. આગામી તા. ૨૨, ૨૩ અને ૨૪ જૂન-૨૦૨૨ના રોજ યોજાનાર શાળા પ્રવેશોત્સવ દરમ્યાન એક પણ બાળક શાળામાં પ્રવેશથી વંચિત ન રહે તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ વારકી પારઘી, ધારાસભ્યો શશીકાંત પંડ્યા, નથા પટેલ, શિવા ભૂરીયા, મહેશ પટેલ, નિવાસી અધિક કલેકટર એ. ટી. પટેલ, પ્રાંત અધિકારીઓ સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

English summary
A meeting of the Coordinating Committee was held to resolve various issues of Banaskantha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X