Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રૂપાલની પલ્લીમાં ઘીની નદી વહી, હજારો લીટર ઘીનો અભિષેક કરાયો

દુનિયાભરની જાણીતી રૂપાલની પલ્લીમાં છેલ્લા નોરતે ઘીનો વરસાદ થયો છે. વરદાયિની માતાની પલ્લીની પરંપરામાં નવમા નોરતે પલ્લી ભરાય છે. દર વર્ષે લાખો લોકો પલ્લીમાં જોડાય છે.

નવમા નોરતે ઉનાવાના ઠાકોર સમાજે વરદાયિની માતાજીની પલ્લીનું પ્રસ્થાન કરાવ્યુ હતુ. આ દરમિયાન લોકો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. ગામની તમામ ગલીઓમાં ઘીની ખાસ ટ્રોલી રાખવામાં આવી હતી. જે બાદ ભક્તો દ્વારા લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો.

Rupal

કહેવાય છે કે જ્યારે રૂપાલ ગામમાં માતાજીની પલ્લી નીકળે છે ત્યારે ગામના લોકો ઘીનો અભિષેક કરતા નથી. બીજા દિવસે દશેરાએ પલ્લી મંદિરમાં મુકાયા બાદ તેઓ માતાજીને ઘી અર્પણ કરે છે.

દર વર્ષે આસો સુદ નોમના દિવસે ગાંધીનગરના રૂપાલ ગામમાં આ ઉત્સવ ઉજવાય છે. દેશભરમાં માતા વરદાયીનીની પલ્લી પ્રખ્યાત છે. આ પલ્લીમાં હજારો-લાખો લીટર ઘીનો અભિષેક કરવામાં આવે છે. ધાર્મિક મહત્વની સાથે આ પલ્લીમાં કોમી એખલાસના પણ દ્રશ્યો સર્જાય છે.

કહેવાય છે કે ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં આવેલું વરદાયિની માતાજીનું મંદિર અતિ પ્રાચીન અને અલૌકિક છે. અહીં માતાજી સૃષ્ટીના નિર્માણ સમયથી જ બિરાજમાન છે. આદ્યશક્તિના નવ સ્વરૂપો પૈકી દ્રીવતિય સ્વરૂપ બ્રહ્મચારીણી હંસાવાહીની સ્વરૂપે રૂપાલમાં માતા વરદાયિની બિરાજમાન છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X