For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં લાગેલા કર્ફ્યુનો આપે શરૂ કર્યો વિરોધ, કહ્યુ - વેપાર ચોપટ થઈ રહ્યો છે, આને હટાવો

કેજરીવાલની આમ આદમી પાર્ટી(આપ)એ સરકારી વ્યવસ્થા પર સવાલ ઉઠાવવા શરૂ કરી દીધા છે.

|
Google Oneindia Gujarati News

gujarat night curfew news, અમદાવાદઃ કોરોના વાયરસ મહામારીથી બચવા માટે ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ લાગેલો છે. આ કર્ફ્યુ ગઈ 21 નવેમ્બરથી ચાલુ છે. જેના કારણે રાતે 9 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી દુકાનો નથી ખુલતી. લોકોની વ્યાપારી ગતિવિધિઓ પણ અટકી જાય છે. એવામાં કેજરીવાલની આમ આદમી પાર્ટી(આપ)એ સરકારી વ્યવસ્થા પર સવાલ ઉઠાવવા શરૂ કરી દીધા છે. આપના ગુજરાતી નેતાઓનુ કહેવુ છે કે નાઈટ કર્ફ્યુના કારણે સામાન્ય જનતા પર આફત આવી છે. રોજગાર નથી મળી રહ્યા. વેપાર ચોપટ થઈ રહ્યા છે.

AAP

આપ તરફથી ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં ખાસ્સો વિરોધ-પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. આના માટે અહીં આમ આદમી પાર્ટીએ ઉધના દરવાજા ચાર રસ્તા પાસે બેનર લગાવ્યા છે. પાર્ટી નેતાઓનુ કહેવુ છે કે કોરોનાના કેસ વધ્યા બાદ શહેરમાં નાઈટ કર્ફ્યુ તો લગાવી દીધો પરંતુ નાઈટ કર્ફ્યુથી વેપાર અને રોજગાર બધુ ચોપટ થઈ રહ્યુ છે. નાઈટ કર્ફ્યુથી લોકોને ભારે નુકશાન થઈ રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દિવાળી વખતે જ કોરોનાનુ સંક્રમણ ઝડપથી ફેલાયુ હતુ. જેમાં પૉઝિટીવ કેસ તેમજ મૃતકોની સંખ્યા પણ સતત વધી રહી હતી. આ સ્થિતિ પર કાબુ મેળવવા માટે રાજ્ય સરકારે અમદાવાદ સહિત વડોદરા, સુરત અને રાજકોટમાં પણ નાઈટ કર્ફ્યુ લગાવ્યો હતો. આ કારણે હવે કોરોનાની સ્થિતિ કંટ્રોલમાં આવી ચૂકી છે. જો કે ગૃહમંત્રીએ કાલે જ પોતાના નિવેદનમાં નાઈટ કર્ફ્યુ હટાવવાનો નિર્ણય કર્યો છે.

PM મોદીએ MPના ખેડૂતોને આપી 16 હજાર કરોડની આર્થિક મદદ PM મોદીએ MPના ખેડૂતોને આપી 16 હજાર કરોડની આર્થિક મદદ

English summary
Aam Aadmi Party protest against in Gujarat night curfew.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X