Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અફીણના વ્યસની હતા રાજા મહારાજાઓ, AAP ઉમેદવારે બળતામાં ઘી હોમ્યું

Lok Sabha Election 2024: ભાવનગર લોકસભા સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ એક વિવાદાસ્પદ ટીપ્પણી કરતા જણાવ્યું છે કે, ભૂતકાળમાં રાજાઓ અફીણના કેફમાં રહેતા હતા.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાજાઓ અને મહારાજાઓ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યાના બે દિવસ બાદ જ કોંગ્રેસ પાર્ટીના INDI એલાયન્સ પાર્ટનર AAPના નેતા તરફથી વધુ એક નિવેદન આવ્યું છે.

AAP નેતા ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે, અંગ્રેજો દેશમાં અફીણ લાવ્યા હતા. રાજાઓ અને મહારાજાઓ શક્તિશાળી અને અજેય હતા, તેથી બ્રિટિશર્સે તેમને અફીણના વ્યસની બનાવ્યા હતા.

અફીણ ધીમે ધીમે તેમની નસો દ્વારા તેમના લોહીમાં ભળી ગયું હતું, અને રાજા મહારાજાઓ અફીણના પ્રભાવ હેઠળ મસ્ત રહેતા હતા, અને આ રીતે અંગ્રેજોએ રજવાડાઓ (રાજ્યો) પર નિયંત્રણ મેળવ્યું હતું.

Lok Sabha Election 2024

જ્યારે પત્રકારે ઉમેશ મકવાણાને પૂછ્યું કે, શું તેઓ તેમનું નિવેદન પાછું ખેંચશે, જેના જવાબમાં ઉમેશ મકવાણાએ કહ્યું, હું મારી ટિપ્પણીને વળગી રહું છું. હું પરષોત્તમ રૂપાલા નથી. હું ઉમેશ મકવાણા છું. ઉમેશ મકવાણાએ ક્યારેય પોતાનું નિવેદન પાછું ખેંચ્યું નથી.

ઉલ્લેખનીય છે કે, શનિવારના રોજ બેલ્લારીમાં એક જાહેર સભા દરમિયાન રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં આ નિવેદન આવ્યું છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, રાજા મહારાજાઓ તેઓને જે ગમે તે કરતા હતા, અને તેઓ લોકોની જમીન છીનવી લેતા હતા. બીજી તરફ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પણ તેમની કથિત વિવાદાસ્પદ ટીપ્પણી માટે વિરોધનો સામનો કરી રહ્યા છે, જેમાં તેમણે શાસકોનો અંગ્રેજો સાથે રોટી-બેટીનો વ્યવહારમાં કરતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X